SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૭-૧૮ હ્રય નથી, પરંતુ અક્રય છે તેની સંગતિ થાય. પરંતુ જગતમાં માત્ર સામાન્યઆત્મક કોઈ વસ્તુ નથી અને માત્ર વિશેષઆત્મક કોઈ વસ્તુ નથી તેથી કેવલીના ઉપયોગના વિષયભૂત અવિદ્યમાન વસ્તુને સ્વીકા૨વાની આપત્તિ આવે. માટે એકાંત વ્યાવૃત ઉભયરૂપ સ્વીકારીને કેવલજ્ઞાનના ઉપયોગને એકાંત અદ્યય સ્વીકારી શકાય નહીં. વળી અનુભય સ્વભાવવાળો કેવલજ્ઞાનનો ઉપયોગ સ્વીકારીને પણ એકાંત અદ્વૈતની સિદ્ધિ થઈ શકે નહીં; કેમ કે સામાન્ય વિશેષ અનુભય સ્વભાવવાળી જગતમાં કોઈ વસ્તુ નથી કે જેનો વિષય કહીને કેવલજ્ઞાનનો ઉપયોગ એકાંત અદ્રયાત્મક સ્વીકારી શકાય. વળી કેટલાક સાંખ્યદર્શનકાર માને છે કે સંસારી જીવોનું જ્ઞાન ગ્રાહ્ય એવા ઘટપટાદિને ગ્રહણ કરનાર છે, તેથી ગ્રાહ્ય વિષયો છે અને ગ્રાહક જ્ઞાન છે, પરંતુ મુક્ત થયેલા આત્માઓ માટે ગ્રાહ્ય જગતના વિષયો નથી અને તે વિષયોને ગ્રહણ કરનાર એવું ગ્રાહક જ્ઞાન નથી તે દૃષ્ટિને સામે રાખીને કોઈ કહે કે ગ્રાહ્યગ્રાહકભાવથી રહિત એવું અદ્વયરૂપ કેવલજ્ઞાન છે, તેથી કેવલજ્ઞાનને એકાંત અદ્રય સ્વીકારી શકાશે. તેનું નિરાકરણ કરતાં ટીકાકારશ્રી કહે છે ગ્રાહ્ય-ગ્રાહકભાવથી રહિત એવા અય સ્વરૂપ જ્ઞાનનો અનુભવ ક્યારેય થતો દેખાતો નથી, પરંતુ જે કાંઈ જ્ઞાનનું સંવેદન છે તે શેયને સ્પર્શનારું છે તેવો જ અનુભવ છે. વળી ઊંઘમાં પણ ગ્રાહ્ય-ગ્રાહક સ્વરૂપથી વિકલ એવું અદૃયજ્ઞાન અનુભવાતું નથી; કેમ કે જાગ્યા પછી સુખપૂર્વક સુતો હતો તે પ્રકારનું સ્મરણ થાય છે, તેથી ઊંધકાળમાં પણ ગ્રાહક એવા જ્ઞાનનો વિષય પોતાને સુખપૂર્વકની નિદ્રા છે માટે જગતમાં ગ્રાહ્ય અને ગ્રાહક ઉભયનો અભાવ હોય તેવા અનુભય સ્વરૂપ કોઈ જ્ઞાન નથી. માટે કેવલીને દ્રવ્ય અને પર્યાયરૂપ શેયને આશ્રયીને હ્રયાત્મક અને ઉપયોગરૂપે એક એવું કેવલ છે તેમ સ્યાદ્વાદીને સ્વીકારવું ઉચિત છે એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો અભિપ્રાય છે. ૨/૧૭॥ અવતરણિકા : ज्ञानदर्शनोपयोगद्वयात्मकैककेवलोपयोगवादी स्वपक्षे आगमविरोधं परिहरन्नाह અવતરણિકાર્ય : જ્ઞાન-દર્શન ઉપયોગયાત્મક એકકેવલઉપયોગવાદી સ્વપક્ષમાં આગમના વિરોધનો પરિહાર કરતાં કહે છે – - ભાવાર્થ: પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાના મતાનુસાર જ્ઞાન-દર્શન ઉપયોગદ્રયાત્મક એવો કેવલીનો એક કેવલ ઉપયોગ છે અને તેમ સ્વીકારવાથી જ સ્યાદ્વાદની સંગતિ થાય છે, અન્યથા એકાંતવાદની પ્રાપ્તિ છે તેમ તેઓશ્રી માને છે. પોતાના પક્ષમાં સ્કૂલથી જે આગમનો વિરોધ દેખાય છે તેનો પરિહાર કરતાં ગ્રંથકારશ્રી કહે છે -~ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy