SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૭ પણ અસંભવ છે અર્થાત્ અવયવી ન હોય તો માત્ર અવયવની પ્રાપ્તિનો અસંભવ છે. તેથી કેવલજ્ઞાનનો વિષય માત્ર અવયવ બની શકે નહીં. વળી, અવયવથી ભિન્ન માત્ર અવયવી કેવલજ્ઞાનનો વિષય છે તેમ પણ સ્વીકારી શકાય નહીં, જેથી અદ્દયની સિદ્ધિ કરી શકાય. કેમ કેવલજ્ઞાનનો વિષય માત્ર અવયવી સ્વીકારી શકાય નહીં ? તેમાં યુક્તિ આપે છે – કેવલજ્ઞાનના વિષયભૂત પદાર્થને માત્ર અવયવીરૂપ સ્વીકારવામાં આવે તો અવયવના અભાવમાં અવયવીનો પણ અસંભવ છે. વળી, અવયવ અને અવયવીથી અતિરિક્ત કોઈ વિશેષરૂપ છે નહીં; તેથી અવયવઅવયવીથી અતિરિક્ત વસ્તુ કેવલજ્ઞાનનો વિષય સ્વીકારવામાં આવે તો અસની સાથે અવિશેષ કેવલજ્ઞાનનો વિષય છે અર્થાત્ શશશૃંગતુલ્ય કેવલજ્ઞાનનો વિષય છે તેમ સ્વીકારવાનો પ્રસંગ આવે. માટે કેવલનો વિષય અવયવ-અવયવીરૂપ સર્વ વસ્તુ છે, તેમ માનવું પડે. જો કેવલજ્ઞાનનો વિષય અવયવીરૂપ દ્રવ્ય અને અવયવરૂપ પર્યાય સ્વીકારવામાં આવે તો કથંચિત્ દ્રય અને કથંચિત્ એકની સિદ્ધિ થાય અર્થાત્ કેવલજ્ઞાનના વિષયભૂત અવયવીરૂપ દ્રવ્ય અને અવયવરૂપ પર્યાયને આશ્રયીને કેવલજ્ઞાન દ્રયરૂપ છે અને દ્રવ્ય અને પર્યાયરૂપ શેયના ઉપયોગરૂપ એક છે તેમ સિદ્ધ થાય, પરંતુ એકાંત અદ્રયની સિદ્ધિ થાય નહીં. વળી કેવલજ્ઞાનને એકાંત અદ્ધયરૂપ સ્વીકારવા માટે એકાંત વ્યાવૃત એવું ઉભયરૂપ વસ્તુ કેવલજ્ઞાનનો વિષય છે તેમ સ્વીકારવામાં આવે તો પણ દોષની પ્રાપ્તિ છે તે બતાવતાં ટીકાકારશ્રી કહે છે - જો કેવલીને કેવલજ્ઞાનનો ઉપયોગ દરેક પદાર્થોને પરસ્પર સંલગ્ન દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક જોનાર ન હોય, પરંતુ કેટલાક પદાર્થોને સામાન્યરૂપે જોનાર હોય, કેટલાક પદાર્થોને વિશેષરૂપે જોનાર હોય તેવો એકાંત વ્યાવૃત ઉભયરૂપ કેવલજ્ઞાનનો ઉપયોગ છે તેમ સ્વીકારવામાં આવે તો માત્ર સામાન્ય સ્વીકારવામાં જે દોષની પ્રાપ્તિ હતી અને માત્ર વિશેષ સ્વીકારવામાં જે દોષની પ્રાપ્તિ હતી તે બન્નેના દોષોને અનતિક્રમ છે; કેમ કે વિશેષના સ્પર્શ વગરનું સામાન્ય જગતમાં નથી અને સામાન્યના સ્પર્શ વગરનું માત્ર વિશેષ જગતમાં નથી તેથી કેવલજ્ઞાનનો વિષય એકાંત વ્યાવૃત ઉભયરૂપ સ્વીકારી શકાય નહીં. અહીં વિશેષ એ છે કે જો કેવલજ્ઞાનનો ઉપયોગ દ્રવ્ય અને પર્યાય ઉભયને સ્પર્શનાર એક ઉપયોગ છે તેમ સ્વીકારીએ તો એકાંત અદ્વયની સિદ્ધિ થાય નહીં, પરંતુ વિષયની અપેક્ષાએ ઉપયોગ દ્વયવાળો છે અને બોધની અપેક્ષાએ એકરૂપ છે તેમ સિદ્ધ થાય. એકાંત અદ્વય સ્વીકારવા માટે જેમ તૈયાયિકો કેટલાક પદાર્થને એકાંત સામાન્ય સ્વીકારે છે અને કેટલાક પદાર્થને એકાંત વિશેષ સ્વીકારે છે તેમ સ્વીકારવામાં આવે તો જે રીતે કેવલજ્ઞાનના વિષયભૂત ઘટપટાદિ અનેક પદાર્થો છે તે રીતે કેવલજ્ઞાનના વિષયભૂત સામાન્ય વિશેષ પદાર્થો છે તેમ સિદ્ધ થાય, પરંતુ કેવલજ્ઞાનનો ઉપયોગ સર્વ શેયને આશ્રયીને સામાન્ય વિશેષાત્મક છે તેવું સિદ્ધ થાય નહીં. તેથી એકાંત વ્યાવૃત ઉભયરૂપ સ્વીકારવાથી કેવલજ્ઞાનના ઉપયોગમાં એકાંત અયની સંગતિ થાય અર્થાત્ કોઈક પદાર્થ માત્ર સામાન્યને કેવલી જુએ છે તેથી જ્ઞાનનો વિષય દ્રય નથી, પરંતુ અદ્વય છે તેની સંગતિ થાય. અથવા કોઈ પદાર્થ માત્ર વિશેષને જુએ છે, તેથી જ્ઞાનનો વિષય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy