Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 110
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૨ ટીકા : दर्शनपूर्वं ज्ञानम्, ज्ञाननिमित्तं तु दर्शनं नास्तीत्युक्तं यतः सामान्यमुपलभ्य पश्चाद् विशेषमुपलभते न विपर्ययेणेत्येवं छद्मस्थावस्थायां हेतुहेतुमद्भावक्रमः, तेनाप्यवगच्छामः कथञ्चित् तयोर्भेद इति, अयं च क्षयोपशमनिबन्धनः क्रमः केवलिनि च तदभावादक्रम इत्युक्तम् ।।२/२२ ।। ટીકાર્ય : રર્શનપૂર્વ ...... વુમ્ II દર્શનપૂર્વક જ્ઞાન છે. વળી, જ્ઞાતનિમિત્ત દર્શન નથી. એ પ્રમાણે કહેવાયું છે-એ પ્રમાણે ક્રમિક ઉપયોગવાદીના મતે કહેવાયું છે. જે કારણથી સામાન્યને પ્રાપ્ત કરીને પાછળથી વિશેષ પ્રાપ્ત થાય છે, વિપર્યયથી નહીં=વિશેષરૂપ જ્ઞાનને પ્રાપ્ત કરીને પાછળથી સામાન્યરૂપ દર્શન થાય એ પ્રકારના વિપર્યયથી બોધ થતો નથી. આ પ્રકારે છvસ્થ અવસ્થામાં હેતુહેતુમદ્ ભાવનો ક્રમ છે=દર્શન અને જ્ઞાન વચ્ચે કાર્યકારણભાવનો ક્રમ છે તેના દ્વારા પણ કથંચિત્ તે બેનો ભેદ છે=દર્શન અને જ્ઞાન-તે બન્નેનો ઉપયોગાત્મક અભેદ હોવા છતાં ક્રમસર હેતુહેતુમદ્ભાવ છે તે અપેક્ષાએ તે બેનો કથંચિ ભેદ છે, એ પ્રમાણે અમે જાણીએ છીએ અને આ ક્ષયોપશમ તિબંધન ક્રમ છે અને કેવલીમાં તેનો અભાવ હોવાથી =ક્ષયોપશમનો અભાવ હોવાથી અક્રમ છે કેવળજ્ઞાનનો અને કેવળદર્શનનો અક્રમ છે, એ પ્રમાણે કહેવાયું. In૨/૨૨ ભાવાર્થ - છબસ્થ જીવોને પદાર્થ જાણવા માટેનો ઉપયોગ પ્રવર્તે છે ત્યારે અવગ્રહાદિના ક્રમથી ઘટાદિ પદાર્થનો નિર્ણય થાય છે. અવગ્રહનો બોધ સામાન્યરૂપ છે અને તે દર્શનરૂપ છે તેથી દર્શનપૂર્વક ઘટના નિર્ણયરૂપ જ્ઞાન થાય છે. પરંતુ જ્ઞાનનિમિત્ત દર્શન થતું નથી; કેમ કે છબસ્થને પ્રથમ સામાન્યથી પ્રાપ્તિ થયા પછી વિશેષની પ્રાપ્તિ થાય છે માટે છદ્મસ્થ અવસ્થામાં દર્શનનો ઉપયોગ હેતુ છે અને જ્ઞાનનો ઉપયોગ કાર્ય છે માટે હેતુહેતુમદ્ભાવનો ક્રમ છે. આ ક્રમથી પણ નિર્ણય થાય છે કે પદાર્થને જાણવા માટેનો છમસ્થનો અંતર્મુહૂર્તકાળનો એક ઉપયોગ હોવા છતાં દર્શનપૂર્વક જ્ઞાન થાય છે માટે દર્શનનો અને જ્ઞાનનો કથંચિ ભેદ છે. આ પ્રકારનું કથન ગ્રંથકારશ્રીને માન્ય નથી, પરંતુ ક્રમિક ઉપયોગવાદીને માન્ય છે. તેનું ગ્રહણ કરીને ગ્રંથકારશ્રી કહે છે કે આવો દર્શન-જ્ઞાનનો ક્રમ ક્ષાયોપથમિક ભાવમાં છે તેમ કહી શકાય, પરંતુ કેવલીને ક્ષયોપશમભાવ નથી, પણ ક્ષાયિકભાવ છે. તેથી કેવલીના કેવળજ્ઞાનનો અને કેવળદર્શનનો ઉપયોગ અક્રમથી થાય છે અને આથી જ કેવલીના કેવળજ્ઞાન અને કેવળદર્શન વખતે દર્શનપૂર્વક જ્ઞાન થાય છે, જ્ઞાનપૂર્વક દર્શન નથી તેવો વ્યવહાર નથી. પરંતુ સમકાલ જ જ્ઞાન અને દર્શન વર્તે છે અને કેવલીનો ઉપયોગ ઉપયોગરૂપે એક છે અને તે ઉપયોગના વિષયભૂત દ્રવ્ય સામાન્યરૂપ છે અને પર્યાય વિશેષરૂપ છે. તેને આશ્રયીને કેવલીના કેવળજ્ઞાન અને કેવળદર્શન વચ્ચે ભેદ છે. પરંતુ મતિજ્ઞાનની જેમ દર્શન અને જ્ઞાન વચ્ચે હેતુહેતુમભાવ નથી. 1ર/રશા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168