Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 44
________________ ૨પ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪ કેવલીને જો માત્ર કેવલજ્ઞાન જ હોય અને કેવલદર્શન ન હોય અથવા કેવલદર્શન જ હોય અને કેવલજ્ઞાન ન હોય તો માત્ર પર્યાયનું જ્ઞાન છે, દ્રવ્યનું નથી અથવા માત્ર દ્રવ્યનું જ્ઞાન છે, પર્યાયનું જ્ઞાન નથી એ પ્રકારે અકિંચિજ્ઞતા થાય, પરંતુ એ પ્રમાણે નથી; કેમ કે કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ઉપયોગ ક્રમસર વર્તે છે, તેથી કેવલીને સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય વિષયક જ્ઞાન છે જ. વળી ક્રમસર જ્ઞાનદર્શન સ્વીકારવાથી કેવલીને આળ અપાયેલું પણ થતું નથી; કેમ કે “ સમર્થ ઇત્યાદિ સૂત્રની ઉક્ત વ્યાખ્યા સંપ્રદાયના અવિચ્છેદથી કરાયેલી છે માટે અપવ્યાખ્યાન નથી. તેથી એ પ્રાપ્ત થાય કે સૂત્રની વ્યાખ્યા સંપ્રદાયની મર્યાદાથી વિરુદ્ધ કરવામાં ભગવાનની આશાતના થાય છે, પરંતુ ભગવાનની પરંપરામાં આવેલા સુવિહિત સાધુનો સંપ્રદાય એમ જ સ્વીકારે છે કે કેવલીને પ્રથમ સમયે જ્ઞાન અને બીજા સમયે દર્શનનો ઉપયોગ હોય છે, તેથી ભગવાનને આળ આપવારૂપ ભગવાનની આશાતના નથી. વળી કોઈ કહે કે આ સંપ્રદાય દુ:સંપ્રદાય છે માટે ભગવાનને આળદાનની પ્રાપ્તિ છે. તેના સમાધાનરૂપે અન્ય આચાર્યો કહે છે – આ દુઃસંપ્રદાય પણ નથી; કેમ કે પ્રસ્તુત સૂત્રથી અન્ય સૂત્રના વ્યાખ્યાતૃએ પણ આ પ્રમાણે જ અર્થ કર્યો છે, કેમ કે શાસ્ત્રમાં ‘વં સમવં સમને જવં મહાવીરે' ઇત્યાદિ આગમમાં વારંવાર ઉચ્ચારણ કરતા શબ્દોનું આ અર્થરૂપે જ સિદ્ધપણું છે. માટે પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ. સા. કહે છે કે “s સમય'માં રહેલ ‘સમય’ શબ્દનો અર્થ “સમય” નથી, પરંતુ “સમક' છે. તેથી કેવલજ્ઞાન અને કેવલદર્શન સમક' જ છે અને ક્રમસર નથી. તેઓ જ સંપ્રદાયવિરુદ્ધ અર્થ કરીને “ભગવાન ઉપર આળ ચઢાવે છે” એમ અન્ય આચાર્યો કહે છે. આ પ્રકારના અન્ય આચાર્યના કથનને સામે રાખીને ગાથાના પૂર્વાર્ધના કથન અનુસાર ટીકાકારશ્રી કહે છે કે આ પ્રકારના ભગવતીસૂત્રના પાઠનું વ્યાખ્યાન કરનારા આચાર્યો તીર્થંકરની આશાતનાના અભીરુ છે, એમ ગ્રંથકારશ્રી પૂ. સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ. સા. કહે છે. કેમ તેઓ તીર્થંકરની આશાતના કરનારા છે ? તે પૂ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીના મતાનુસાર સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી કહે છે – કેવલદર્શનના ઉપયોગકાળમાં કેવલી કાંઈ જાણતા નથી અર્થાત્ કોઈ પર્યાયને જાણતા નથી અને કેવલજ્ઞાનના ઉપયોગકાળમાં કેવલી કોઈ દ્રવ્યને જાણતા નથી એ પ્રકારનો તીર્થકરનો અધિક્ષેપ છે=તીર્થકરનો પરાભવ છે; કેમ કે અન્યથા કહેવાયેલા તીર્થંકરના વચનમાં “તીર્થકરે આ પ્રમાણે કહેલું છે એ પ્રકારે તીર્થકર ઉપર અન્ય આચાર્ય આળ ચડાવે છે. કઈ રીતે તીર્થકર ઉપર આળની પ્રાપ્તિ છે ? એ સ્પષ્ટ કરતાં કહે છે – જો વિષય સામાન્ય-વિશેષરૂપ હોય અર્થાત્ દ્રવ્ય-પર્યાયરૂપ હોય તો વિષયી એવું કેવલજ્ઞાન વિશેષાત્મક પણ થાય અને સામાન્યાત્મક પણ થાય; આમ છતાં જો વિશેષાત્મક જ છે એ પ્રકારનો પણ સ્વીકારવામાં આવે તો કેવલી દ્વારા સામાન્ય રહિત વિશેષગ્રાહીપણું હોવાથી અને સામાન્ય વિકલ એવા વિશેષનો જગતમાં અભાવ હોવાથી કેવલીનું વિશેષાત્મક જ્ઞાન નિર્વિષય બને છે; કેમ કે જગતમાં માત્ર વિશેષાત્મક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168