Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 50
________________ ૩૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-પ કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શનનો પણ સંભવ છે. કેમ કે કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શનની ઉત્પત્તિમાં કેવલદર્શનાવરણના ક્ષયરૂપ કારણનો અભાવ છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે – એકસાથે ઘટ-પટ બેની ઉત્પત્તિના અવિકલ કારણ વિદ્યમાન હોય તો એક જ કાળમાં ઘટ-પટ સાથે ઉત્પન્ન થાય છે તેમ કેવલજ્ઞાનની ઉત્પત્તિનું અવિકલ કારણ કેવલજ્ઞાનાવરણનો ક્ષય છે અને કેવલદર્શનની ઉત્પત્તિનું અવિકલ કારણ કેવલદર્શનાવરણનો ક્ષય છે માટે એકસાથે બન્નેની ઉત્પત્તિ સ્વીકારવી જોઈએ. અહીં પૂર્વપક્ષી શંકાકાર કરે છે કે ટીકાકારશ્રીએ કરેલા અનુમાનમાં હેતુ અનેકાન્તિક છે અર્થાત્ વ્યભિચારી છે. કઈ રીતે વ્યભિચારી છે ? તે સ્પષ્ટ કરે છે – કોઈ જીવને શ્રુતજ્ઞાનાવરણ આદિનો ક્ષયોપશમ વિદ્યમાન હોવા છતાં પણ મતિજ્ઞાન આદિનો ઉપયોગ વર્તતો હોય તો શ્રુતજ્ઞાન આદિ થતા નથી તેમ દેખાય છે તે રીતે કેવલદર્શનાવરણનો ક્ષય હોવા છતાં કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શનનો ઉપયોગ નથી તેમ સ્વીકારી શકાશે. માટે પૂર્વમાં અનુમાન કરેલ કે કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શન અવશ્ય ઉત્પન્ન થવું જોઈએ; કેમ કે “કેવલદર્શનના ઉત્પત્તિના કારણનો અભાવ છે એ પ્રકારના અનુમાનમાં “કેવલદર્શનની ઉત્પત્તિના કારણનો સદ્ભાવ હોવાથી એ રૂપ હેતુ વ્યભિચારી છે. તે શંકાનું નિરાકરણ કરતાં ટીકાકારશ્રી કહે છે –– શંકાકારનું આ કથન બરાબર નથી; કેમ કે શ્રુતજ્ઞાન આદિની ઉત્પત્તિમાં ક્ષીણ આવરણરૂપ હેતુનો અભાવ છે, પરંતુ શ્રુતજ્ઞાનાવરણ આદિના ક્ષય અને ઉપશમ કારણ છે. આશય એ છે કે શ્રુતજ્ઞાન આદિ ચાર જ્ઞાનો આવરણના ક્ષયથી થતા નથી, પરંતુ આવરણના ક્ષયોપશમથી થાય છે, તેથી આવરણના ક્ષયોપશમકાળમાં જીવનો જે જ્ઞાન વિષયક યત્ન હોય તે જ્ઞાન વિદ્યમાન હોય છે અન્ય જ્ઞાનો ઉપયોગરૂપે વિદ્યમાન હોતાં નથી. જેમ ચૌદપૂર્વીને શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ છે છતાં જ્યારે મતિજ્ઞાનના ઉપયોગવાળા છે ત્યારે ક્ષયોપશમરૂપે શ્રુત વિદ્યમાન હોવા છતાં ઉપયોગરૂપે શ્રુત નથી; કેમ કે ક્ષયોપશમભાવમાં તે તે વસ્તુને જાણવા વિષયક યત્નની આવશ્યકતા રહે છે, તેથી જે વખતે શ્રુતજ્ઞાની શ્રતમાં યત્ન કરે છે ત્યારે શ્રુતનો બોધ થાય છે અને જે વખતે મતિજ્ઞાનમાં યત્ન કરે છે ત્યારે મતિજ્ઞાનનો બોધ થાય છે શ્રુતનો બોધ થતો નથી. જ્યારે ક્ષીણ આવરણવાળા કેવલીને બોધ કરવાને અનુકૂળ વ્યાપારથી બોધ થતો નથી, પરંતુ જીવના જ્ઞાનસ્વભાવના આવારક કર્મનો ક્ષય થવાથી જીવને બોધ થાય છે. વળી, કેવલીને જેમ કેવલજ્ઞાન આવારક કર્મનો ક્ષય થયો છે, તેથી બોધને અનુકુલ કોઈ યત્ન વગર સહજ સર્વ પર્યાયોનું જ્ઞાન થાય છે તેમ કેવલદર્શનાવરણનો પણ ક્ષય થયો છે, તેથી કોઈ યત્ન વગર સહજ સર્વ દ્રવ્યોને જુએ છે તેમ સ્વીકારવું જોઈએ. માટે કેવલજ્ઞાન અને કેવલદર્શન એક કાળમાં વર્તે છે તેમ અનુમાનપ્રમાણથી સિદ્ધ થાય છે. વળી, જો કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ એક કાળમાં જ વર્તે છે, પરંતુ ક્રમસર નથી તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું અને તેમ જ હોય તો કેવલજ્ઞાનમાં જેમ સર્વ પર્યાયોનો બોધ થાય છે તેમ કેવલદર્શનમાં સર્વ દ્રવ્યોનો બોધ થાય છે તેમ પ્રાપ્ત અને તેમ સ્વીકારીએ તો કેવલજ્ઞાન અને કેવલદર્શન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168