Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 59
________________ ૪૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૭ સ્વીકારી શકે નહીં એ પ્રકારે ક્રમવાદી કહે તો અક્રમવાદી કહે છે ક્રમવાદીનું આ કથન અયુક્ત છે; કેમ કે પુદ્ગલદ્રવ્યમાં રૂપ-રસનો ઉત્પાદ એકસાથે થાય છે, તેમ અમારા વડે કેવલજ્ઞાનના અને કેવલદર્શનના ઉત્પાદનો એકસાથે અભ્યપગમ છે, પરંતુ ઋજુત્વ-વક્રત્વની જેમ ક્રમિક ઉત્પાદ-વ્યયનો અભ્યપગમ નથી. અક્રમવાદીનો આશય એ છે કે જેમ પુદ્ગલમાં રૂપ અને રસ એકકાલમાં રહે છે તેમ કેવલીદ્રવ્યમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન એકસાથે રહે છે તેમ અમે સ્વીકારીએ છીએ, પરંતુ ઋજુત્વ અને વક્રતા જેમ ક્રમસર થાય છે તેમ કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્રમસર થાય છે તેમ અમે સ્વીકારતા નથી માટે અક્રમપક્ષમાં કેવલીદ્રવ્યની અપેક્ષાએ કેવલજ્ઞાન અને કેવલદર્શન અપર્યવસાન સ્વીકારી શકાશે અને ક્રમિક પક્ષમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન કેવલીદ્રવ્યની અપેક્ષાએ અપર્યવસાન સ્વીકારી શકાશે નહીં, કેમ કે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો આત્મદ્રવ્યની સાથે અભેદ સ્વીકારવામાં આવે અને કેવલજ્ઞાન-કેવલદર્શનથી અભિન્ન એવું આત્મદ્રવ્ય અપર્યવસિત છે તેમ સ્વીકારીને કેવલજ્ઞાન-કેવલદર્શનને સાદિઅનંત સ્વીકારવું હોય તો આત્મદ્રવ્યમાં સતત કેવલજ્ઞાન-કેવલદર્શન છે તેમ સ્વીકારવું જોઈએ, પરંતુ જે સમયે કેવલજ્ઞાન છે તે સમયે કેવલદર્શન નથી તેમ સ્વીકારવાથી કેવલજ્ઞાન-કેવલદર્શનથી અભિન્ન એવું આત્મદ્રવ્ય સાદિઅનંત સ્વીકારી શકાય નહીં અર્થાત્ બીજા સમયમાં કેવલજ્ઞાનનો ઉપયોગ નહીં હોવાથી કેવલજ્ઞાનથી અભિન્ન એવો આત્મા સાદિ અનંત નથી એમ જ સિદ્ધ થાય છે. અહીં ક્રમવાદી કહે કે રૂપ અને રસની જેમ કેવલજ્ઞાન-કેવલદર્શનને એકસાથે સ્વીકારવાથી પણ કેવલજ્ઞાન-કેવલદર્શન સપર્યવસાન જ છે; કેમ કે કેવલજ્ઞાન-કેવલદર્શનરૂપ પર્યાય પ્રતિક્ષણ અપર અપરભાવરૂપે થાય છે, માટે પર્યાયની અપેક્ષાએ અપર્યવસાનતા સિદ્ધ થઈ શકશે નહીં. તેને અક્રમવાદી કહે છે કે એ પ્રમાણે ન કહેવું; કેમ કે કેવલજ્ઞાન અને કેવલદર્શન કથંચિત્ કેવલી દ્રવ્યથી અભિન્ન હોવાના કારણે કેવલજ્ઞાનનું અને કેવલદર્શનનું અપર્યવસાનપણું છે. અહીં ક્રમિકઉપયોગવાદી કહે કે અમે પણ કેવલજ્ઞાનને અને કેવલદર્શનને ક્રમિક સ્વીકારીને કેવલીદ્રવ્યથી તે કેવલજ્ઞાનને અને કેવલદર્શનને અભિન્ન સ્વીકાર કરીએ છીએ. માટે કેવલજ્ઞાન અને કેવલદર્શન અપર્યવસિત પ્રાપ્ત થશે. તેને અક્રમવાદી કહે છે – “આ પ્રમાણે ના કહેવું'; કેમ કે ક્રમવાદીના પક્ષમાં અનેકાંતનો વિરોધ છે. આશય એ છે કે વ્યવહારનયથી ગુણ-ગુણીનો ભેદ છે, તેથી વ્યવહારનયને આશ્રયીને ગુણી એવા આત્માથી કેવલજ્ઞાન-કેવલદર્શનનો ભેદ સ્વીકારીને પર્યાયાસ્તિકનયથી પ્રતિક્ષણ કેવલજ્ઞાન-કેવલદર્શનરૂપ પર્યાય પરિવર્તન પામે છે, એમ સ્વીકારાય છે. વળી, નિશ્ચયનયથી ગુણ-ગુણીનો અભેદ કરીને દ્રવ્યાસ્તિકનયથી કેવલજ્ઞાન અને કેવલદર્શનને અપર્યવસાન સ્વીકારવા માટે ક્રમવાદી યત્ન કરે તોપણ થઈ શકે નહીં, કેમ કે ક્રમવાદીના મતાનુસાર કેવલીદ્રવ્યથી અભિન્ન એવું પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન એક કાળમાં ઉપયોગરૂપે વિદ્યમાન નથી. તેથી કેવલજ્ઞાનથી અભિન્ન કેવલીદ્રવ્ય જે સમયમાં છે તે સમયમાં કેવલદર્શનથી અભિન્ન એવું કેવલીદ્રવ્ય નથી. માટે નિશ્ચયનયથી કેવલજ્ઞાન અને કેવલદર્શનનો અભેદ કરીને દ્રવ્યાસ્તિકનયથી પણ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ ક્રમિક છે એમ પ્રાપ્ત થાય. માટે ક્રમવાદીના પક્ષમાં ગુણ-ગુણીના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168