Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 88
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૬ GE ગાથાર્થ : સમસ્ત શ્રુતજ્ઞાનની દર્શનાનો વિષય દ્વાદશાંગી વાક્યાત્મક સમસ્ત શ્રુતજ્ઞાનની દર્શન પ્રયોજિકા બુદ્ધિનું આલંબન, પ્રજ્ઞાપનીય ભાવો છે. વળી અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનનો વિષય અન્યોન્ય વિલક્ષણભાવો છે. ll૨/૧૬ll ભાવાર્થ : શ્રુતજ્ઞાનનો વિષય પ્રજ્ઞાપનીય ભાવો છે, અપ્રજ્ઞાપનીય ભાવો નથી તેમ બતાવીને શ્રુતજ્ઞાનની અસર્વવિષયતા બતાવી. અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનનો વિષય પરસ્પર વિલક્ષણ છે તેમ બતાવીને અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાનની અસર્વવિષયતા બતાવી. વળી શાસ્ત્રમાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનનો વિષય તુલ્ય કહ્યો છે. માટે અર્થથી મતિજ્ઞાન પણ અસર્વવિષયવાળું છે તેમ પ્રાપ્ત થાય. આમ, મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનો અસર્વવિષયવાળા છે એમ બતાવીને છદ્મસ્થના જ્ઞાનના દૃષ્ટાંતથી કેવલીના કેવલજ્ઞાન-કેવલદર્શનને ક્રમઉપયોગવાળા સ્વીકારીને જેઓ કેવલીને સાદિઅપર્યવસિત આદિ સ્થાપન કરે છે તેમના દષ્ટાંતના વિષયભૂત છદ્મસ્થનું જ્ઞાન અસર્વવિષયવાળું છે તેનું ભાવન પ્રસ્તુત ગાથામાં છે. આ દૃષ્ટાંતના ભાવનના બલથી કેવલીમાં કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમસર કે યુગપદ્ ઉપયોગ થઈ શકે નહીં તેની સિદ્ધિ ગ્રંથકારશ્રી આગળના ગાળામાં કરશે એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો અવતરણિકા સાથે સંબંધ છે. ટીકા : मतिश्रुतयोरसर्वपर्यायसर्वद्रव्यविषयतयाऽभिन्नार्थत्वे श्रुतस्यासर्वार्थग्रहणात्मकत्वभावनया मतिरपि तथा भावितैवेति श्रुतज्ञानस्यैव गाथायामसर्वार्थत्वभावना प्रदर्शिता । प्रज्ञापनीयाः शब्दाभिलाप्या भावा द्रव्यादयः समस्तश्रुतज्ञानस्य द्वादशाङ्गवाक्यात्मकस्य दर्शनाया दर्शनप्रयोजिकायास्तद्वाक्योपजाताया बुद्धेविषयः=आलम्बनम्, मतेरपि त एव शब्दानभिधेया विषयः, शब्दपरिकर्मणानपेक्षस्य ज्ञानस्य यथोक्तभावविषयस्य मतित्वात् । अवधिमनःपर्याययोः पुनरन्योन्यविलक्षणा भावा विषयः, अवधेः पुद्गलाः मनःपर्यायज्ञानस्य मन्यमानानि द्रव्यमनांसि विषयः इति असर्वार्थान्येतानि मत्यादिज्ञानानि परस्परविलक्षणविषयाणि च अत एव भिन्नोपयोगरूपाणि ।।२/१६।। ટીકા : મંતિકૃતવો ... મિત્રોપવો પણ મતિજ્ઞાનનું અને શ્રુતજ્ઞાનનું અસર્વ પર્યાય અને સર્વ દ્રવ્ય વિષયપણું હોવાથી અભિવાર્થપણું હોતે છતે, શ્રુતજ્ઞાનના અસવર્થ ગ્રહણાત્મક ભાવનાથી=પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં મૃતની અસર્વાર્થ ગ્રહણાત્મકત્વની ભાવનાથી, મતિજ્ઞાન પણ તે પ્રકારે ભાવિત જ છે. એથી ગાથામાં=પ્રસ્તુત ગાથામાં, શ્રુતજ્ઞાનની જ અસવર્થત્વની ભાવના બતાવાઈ છે. પ્રસ્તુત ગાથાનો અર્થ કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168