Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 94
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૭ અહીં પ્રશ્ન થાય કે કેવલજ્ઞાનનું અનંતપણું કેમ છે ? તેમાં હેતુ કહે છે જગતમાં દ્રવ્ય અને પર્યાયાત્મક અનંત પદાર્થો છે તે સર્વના ગ્રહણમાં પ્રવૃત્ત એવા ઉત્પાદ-વ્યયધ્રૌવ્યાત્મક ઉપયોગથી વૃતપણારૂપે કેવલનું અક્ષયપણું છે. આશય એ છે કે સંસા૨વર્તી જીવોમાં અને મુક્તાત્મામાં જ્ઞાન છે અને તે જ્ઞાનની તરતમતા સંસારી જીવોમાં પ્રાપ્ત થાય તોપણ તે જ્ઞાન ક્યારેય ક્ષય પામતું નથી, આથી નિગોદમાં પણ કંઈક જ્ઞાનાંશ સદા વિદ્યમાન છે, તેથી જીવમાં જ્ઞાન જ્ઞાનરૂપે અક્ષય છે, પરંતુ સર્વ દ્રવ્ય વિષયક અને સર્વ પર્યાય વિષયક જ્ઞાન કેવલી સિવાય કોઈને નથી; કેમ કે છદ્મસ્થ જીવોનું જ્ઞાન કર્મથી આવૃત છે. ૭૫ કેવલીનું જ્ઞાન સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયના વિષયવાળું અક્ષય છે અર્થાત્ પ્રગટ થયા પછી ક્યારેય ક્ષય પામે તેવું નથી તે બતાવવા માટે ટીકાકારશ્રીએ કહ્યું કે દ્રવ્ય અને પર્યાયાત્મક જે અનંત પદાર્થો છે તેના ગ્રહણમાં પ્રવૃત્ત છે અને તે સર્વ પદાર્થોમાં વર્તતા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક જે ભાવો છે તેમાં કેવલજ્ઞાનનો ઉપયોગ પ્રવૃત્ત છે તે સ્વરૂપે જ કેવલજ્ઞાન ક્યારેય ક્ષય પામનારું નથી માટે કેવલજ્ઞાનનો વિષય અનંત છે. માટે પ્રદીપાદિ સાથે વ્યભિચાર નથી. વળી કેવલજ્ઞાન સકલપદાર્થ વિષયક છે અર્થાત્ માત્ર પર્યાય વિષયક નથી, પરંતુ દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક સકલ પદાર્થ વિષયક છે તે ગાથા-૧૧મા સ્પષ્ટ કરેલ છે, તેથી પ્રસ્તુત ગાથામાં કહ્યું તે પ્રમાણે નક્કી થાય છે કે કેવલ સકલ છે અર્થાત્ સકલ વિષયવાળું છે; કેમ કે અનાવરણ છે અને અનાવરણ હોવાથી અનંત છે. અનંત કેમ છે, તેથી કહે છે અક્ષય છે. આનાથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરે છે — અક્રમઉપયોગક્રયાત્મક એક જ કેવલ છે અર્થાત્ કેવલજ્ઞાન-કેવલદર્શન એમ ભિન્ન બે ઉપયોગ નથી, પરંતુ એક જ કેવલનો ઉપયોગ છે એ પ્રમાણે સ્થિત છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય વિષયક ક્રમ વગર એક જ કેવલનો ઉપયોગ છે, પરંતુ કેવલજ્ઞાન અને કેવલદર્શન એ રૂપ બે ઉપયોગો નથી. અક્રમઉપયોગદ્વયાત્મક એક છે એમ કહેવાથી અક્રમઉપયોગદ્રયાત્મકપણાની પ્રાપ્તિ છે. આમ કહ્યા પછી તેને કેવલનો વ્યપદેશ=એકનો વ્યપદેશ, કઈ રીતે થઈ શકે ? એ પ્રમાણે ક્રમથી કે અક્રમથી ભિન્ન ઉપયોગને સ્વીકારનાર વાદી દ્વારા પ્રશ્ન થઈ શકે નહીં; કેમ કે ઇન્દ્રિય, પ્રકાશ, મનોવ્યાપાર નિરપેક્ષ અને નિરાવરણ એવા આત્માની સત્તામાત્રને કારણે તેવા પ્રકારના અર્થના વિષયના પ્રતિભાસનું તેવા પ્રકા૨ના વ્યપદેશનું વિષયપણું છે=એકપણારૂપે વ્યપદેશનું વિષયપણું છે. ? આશય એ છે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઇન્દ્રિય, પ્રકાશ અને મનોવ્યાપારની અપેક્ષા રાખનાર છે જ્યારે કેવલજ્ઞાન ઇન્દ્રિય, પ્રકાશ કે મનોવ્યાપારની અપેક્ષા રાખનાર નથી. વળી અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ઇન્દ્રિય, આલોક અને મનોવ્યાપારની અપેક્ષા નહીં રાખનાર હોવા છતાં સાવ૨ણ છે, નિરાવરણ નથી જ્યારે કેવલજ્ઞાન નિરાવરણ છે, તેથી આત્મામાત્રની સત્તાને કારણે જગવર્તી સર્વ દ્રવ્યના અને સર્વ પર્યાયના વિષયને પ્રતિભાસ કરવા માટે કેવલ ઉપયોગ સમર્થ છે ફક્ત તેનો વિષય દ્રવ્ય અને પર્યાય બંને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168