Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 61
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૭ આવા૨ક કર્મના ક્ષયવાળા હોવાથી સદા કેવલજ્ઞાનવાળા અને કેવલદર્શનવાળા છે તેથી કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિ અપર્યવસિત છે તે સૂત્રની સંગતિ થશે તોપણ કેવલજ્ઞાનનું અને કેવલદર્શનનું સ્વરૂપ ક્રમસર વર્તે એવું છે, તેથી સ્વરૂપથી કેવલી પ્રથમ સમયે કેવલજ્ઞાનના ઉપયોગવાળા અને દ્વિતીય સમયે કેવલદર્શનના ઉપયોગવાળા છે. માટે ક્રમિકઉપયોગપક્ષમાં પણ કેવલીનું કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિઅપર્યવસાન છે તેમ સ્વીકારી શકાશે. ૪૨ આ પ્રકારના ક્રમવાદીના સમાધાનમાં અક્રમવાદી કહે છે એ પ્રમાણે ન કહેવું; કેમ કે સ્વરૂપથી કેવલજ્ઞાન-કેવલદર્શન ક્રમસ૨ થતું હોય તો અનેકાંતરૂપતાનો વિરોધ છે અર્થાત્ કેવલજ્ઞાન-કેવલદર્શન કોઈક દૃષ્ટિથી અપર્યવસાન છે, કોઈક દષ્ટિથી પર્યવસાન છે એ રૂપ અનેકાંતતાનો વિરોધ છે; કેમ કે દ્રવ્યાસ્તિકનય પણ ક્રમસર પ્રવર્તતા કેવલજ્ઞાન અને કેવલદર્શનને અપર્યવસાન સ્વીકારી શકે નહીં. વળી બીજો દોષ આપતાં અક્રમવાદી કહે છે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન અક્રમવાળું નિરાવરણ છે અર્થાત્ પ્રથમ ક્ષણમાં નિરાવરણ થાય પછી આવરણ થાય છે તેવું નથી, પરંતુ સદા નિરાવરણ છે અને અક્રમવાળા એવા નિરાવરણ કેવલજ્ઞાન-કેવલદર્શન હોય છતાં તેનો ઉપયોગ ક્રમસર થાય છે તેમ સ્વીકારવામાં વિરોધ છે; કેમ કે ક્રમસર ઉપયોગની પ્રાપ્તિ આવ૨ણકૃત જ સંભવે, આવરણ ન હોય તો સદા ઉપયોગ રહેવો જોઈએ. વળી કેવલજ્ઞાન અને કેવલદર્શનને ક્રમથી સ્વીકારનારા ક્રમવાદી પક્ષમાં અક્રમવાદી ‘ગ્વિ’થી અન્ય દોષ બતાવે છે – જો સર્વ દૃષ્ટિથી ક્રમથી જ કેવલજ્ઞાન-કેવલદર્શન સ્વીકારવામાં આવે તો અનેકાંતનો વિરોધ થશે. આશય એ છે કે પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી તો કેવલજ્ઞાન અને કેવલદર્શન સાથે હોવા છતાં પ્રતિક્ષણ નવું નવું જ્ઞાન અને દર્શન થાય છે. તે અપેક્ષાએ કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્રમથી નવા નવા કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપે થાય છે, પરંતુ દ્રવ્યાસ્તિકનયથી પણ પ્રથમ ક્ષણમાં કેવલજ્ઞાન અને બીજી ક્ષણમાં કેવલદર્શન સ્વીકારવામાં આવે તો દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એમ બંને નયથી કેવલજ્ઞાન-કેવલદર્શન ક્રમથી જ પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારવામાં અનેકાંતનો વિરોધ છે; કેમ કે ક્રમવાદીના મતે એકાંતથી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્રમથી છે માટે અનેકાંતવાદનો પ્રતિષેધ થાય છે. હવે જો કેવલજ્ઞાન-કેવલદર્શન કથંચિદ્ ક્રમથી છે તેમ સ્વીકારવું હોય તો કેવલજ્ઞાન-કેવલદર્શનનો યુગપદ્ ઉત્પત્તિપક્ષ સ્વીકારવો જોઈએ, જેથી સ્યાદ્વાદની સંગતિ થાય અર્થાત્ પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી પ્રતિક્ષણ નવો નવો કેવલજ્ઞાન-કેવલદર્શનનો ઉપયોગ વર્તે છે અને દ્રવ્યાસ્તિકનયથી કેવલજ્ઞાન-કેવલદર્શનનો સદા ઉપયોગ વર્તે છે માટે કેવલજ્ઞાન-કેવલદર્શનનો યુગપદ્ ઉત્પત્તિપક્ષ જ સ્યાદ્વાદથી સંગત થાય છે. વળી જેમ છાદ્મસ્થિક જ્ઞાનમાં જ્ઞાન અને દર્શનનો ઉપયોગ ભિન્ન ક્ષણમાં હોય છે, છતાં છાહ્મસ્થિક એવું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168