Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 68
________________ ૪૯ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૦ જાણતા કેવલી તઆત્મક સામાન્યને ત્યારે જ જુએ છે એમ આગળ સાથે વનો અવ્યય છે અને રિ' પછી આકારાત્મકને ઠેકાણે અનાકારાત્મક પાઠ ભાસે છે. તેનો અર્થ આ પ્રમાણે છે – જો અલાકારાત્મક વસ્તુ ભવનરૂપ કે ભાવનાત્મકરૂપ આકારાત્મક છે અર્થાત્ અનાકારરૂપ જે દ્રવ્ય છે એ રૂપ વસ્તુ કોઈક રૂપે થતી હોય માટે ભવનરૂપ છે અને કોઈક રૂપે થયેલી હોય માટે ભાવનાત્મક છે તેવી વસ્તુ કોઈક પર્યાયરૂપ આકારાત્મક છે; કેમ કે સામાન્ય-વિશેષનું અવિભિગવૃત્તિપણું છે અર્થાત્ દ્રવ્યરૂપ સામાન્ય અને પર્યાયરૂપ વિશેષ પરસ્પર વિભાગ વગર રહેલા છે. સર્વ આકારને અનાકારાત્મક-આકારાત્મક વસ્તુના સર્વ સાકારને જાણતા એવા કેવલી તદાત્મક=આનાકારાત્મક સામાન્યને ત્યારે જ જુએ છે અથવા તેને જોતા=સામાન્યને જોતા, તેનાથી અવ્યતિરિક્ત વિશેષને= સામાન્યથી અભિન્ન એવા વિશેષને, ત્યારે જ જાણે છે; કેમ કે સર્વજ્ઞના ઉપયોગનું ઉભયાત્મક વસ્તુના અવબોધરૂપે એકરૂપપણું છેકદ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુના અવબોધરૂપે એકસ્વરૂપપણું છે. તો=પૂર્વમાં કહ્યું એવું માનો તો, તેનું કેવલીનું, સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું સર્વકાલ ઘટે છે; કેમ કે તેનું=સર્વજ્ઞતા ઉપયોગનું પ્રતિક્ષણ ઉભયાત્મક એકરૂપપણું છે. જો કેવલીના કેવલજ્ઞાન-કેવલદર્શનનો સર્વકાલ એક ઉપયોગ સ્વીકારવામાં ન આવે પરંતુ કેવલજ્ઞાનકેવલદર્શનનો ક્રમિક ઉપયોગ સ્વીકારવામાં આવે તો, “અથવાથી કહે છે – અથવા સર્વ=સામાન્ય વસ્તુ અને આકારાત્મક વસ્તુને, કેવલી જોતા નથી અને જાણતા નથી; કેમ કે તથાભૂત એવા તે બેનું સામાવ્યાત્મક અને વિશેષાત્મક એવા દ્રવ્ય અને પર્યાયનું, અસત્ત્વ છે= પૃથફરૂપે અસત્ત્વ છે. કેવી રીતે કેવલી જોતા નથી ? તેથી કહે છે – જાત્યંધની જેમ અથવા આકાશની જેમ જોતા નથી કે જાણતા નથી. જો કેવલી એકકાલમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ બે ઉપયોગવાળા હોય, પરંતુ એક કેવલજ્ઞાનના ઉપયોગથી સામાન્ય-વિશેષ ઉભયને જાણતા ન હોય તો, “અથવા'થી કહે છે – અથવા સર્વતે જાણતા નથી સામાન્ય વિશેષાત્મક સર્વ પદાર્થને જાણતા નથી કેમ કે એક દેશમાં ઉપયોગ વૃત્તિપણું છે=કેવલજ્ઞાનના ઉપયોગનું પર્યાયરૂપ એકદેશમાં વૃત્તિપણું છે, અને કેવલદર્શનરૂપ ઉપયોગનું દ્રવ્યરૂપ એકદેશમાં વૃત્તિપણું છે મતિજ્ઞાનીની જેમ. આનાથી શું ફલિત થયું="અથવાથી જે બે વિકલ્પો બતાવ્યા તેનાથી શું ફલિત થયું ? તે બતાવે છે – યુગપ કે ક્રમથી એકાંતભિન્નઉપયોગદ્વયવાદીના મતમાં સર્વશતા-સર્વદર્શિતા નથી=કેવલીમાં સર્વજ્ઞતા તથી અને સર્વદર્શિતા નથી, એ પ્રકારનો આચાર્યનો આશય છે. અને અહીં-કેવલીના ઉપયોગમાં, પૂજ્ય શ્રી જિનભદ્રગણીશમાશ્રમણને અયુગ૫ર્ભાવી ઉપયોગદ્વય અભિમત છે=ક્રમિક એવા કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગદ્વય અભિમત છે. વળી શ્રી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168