Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 55
________________ ૩૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૭ रूपत्वे च द्रव्यस्य तदात्मकत्वेन तयोरप्यक्रम एव, न च तयोस्तद्रूपतया तथाभावो न स्वरूपतः, तथात्वेऽनेकान्तरूपताविरोधानिरावरणस्याक्रमस्य क्रमरूपत्वविरोधाच्च तस्यावरणकृतत्वात् । किञ्च, यदि सर्वथा क्रमेणैव तयोरुत्पत्तिरनेकान्तविरोधः, अथ कथञ्चित् तदा युगपदुत्पत्तिपक्षोऽप्यभ्युपगतः न च द्वितीये क्षणे तयोरभावे अपर्यवसितता छाद्यस्थिकज्ञानस्येव युक्ता, पुनरुत्पादादपर्यवसितत्वे पर्यायस्याप्यपर्यवसितताप्रसक्तिः, द्रव्यार्थतया तत्त्वे द्वितीयक्षणेऽपि तयोः सद्भावोऽन्यथा द्रव्यार्थत्वाયાત્િ ા૨/છાા ટીકાર્ચ - સાઈપૂર્વવને ... વ્યાર્થત્યાત્ II સાદી અપર્યવસાન કેવલજ્ઞાન-કેવલદર્શનમાં ક્રમઉપયોગ હોતે છતે બીજા સમયમાં તે બેતું-કેવલજ્ઞાન-કેવલદર્શનનું, પર્યવસાન છે, એથી કેવી રીતે અપર્યવસિતતા થાય ? કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં અપર્યવસિતતા કેવી રીતે પ્રાપ્ત થાય? અર્થાત્ થાય નહીં. તે કારણથી સૂત્ર આશાતનાના ભીરુ ક્રમઉપયોગવાદી એવા આચાર્યો વડે ‘વત્તાને નં અંતે' ) ઈત્યાદિ આગમમાં કેવલજ્ઞાનની અને કેવલદર્શનની સાદિ અપર્યવસાનતાનું અભિયાન પર્યાલોચન કરવું જોઈએ. અને અહીં-કેવલજ્ઞાન અને કેવલદર્શનના ક્રમિક ઉપયોગના સ્વીકારમાં, સૂત્રઆશાતના સર્વજ્ઞના અધિક્ષેપ દ્વારા જાણવી=સર્વજ્ઞતા અપલાપ દ્વારા જાણવી. અહીં પ્રશ્ન થાય કે સૂત્રની આશાતના સૂત્રના અધિક્ષેપથી ન સ્વીકારતા સર્વજ્ઞના અધિક્ષેપથી કેમ કહી ? એથી કહે છે – અચેતન એવા વચનના અધિક્ષેપતો અયોગ છે=અચેતનરૂપ શાસ્ત્રના વચનોના અધિક્ષેપનો અયોગ છે. અહીં કેવલજ્ઞાન-કેવલદર્શનના ક્રમિકઉપયોગવાદી કહે છે – દ્રવ્ય અપેક્ષાથી અપર્યવસિતપણું છે=કેવલજ્ઞાન અને કેવલદર્શનનું અપર્યવસિતપણું છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે દ્રવ્ય વિષયક પ્રશ્ન અને ઉત્તરની અશ્રુતિ છે=આગમમાં જે ગૌતમસ્વામીએ પૃચ્છા કરી છે ત્યાં દ્રવ્ય વિષયક પ્રશ્ન અને દ્રવ્ય વિષયક ઉત્તર છે એ પ્રમાણે સંભળાતું નથી. ‘નથ’થી ક્રમિકઉપયોગવાદી કહે છે – તમને પણ=કેવલજ્ઞાન-કેવલદર્શન એકદા સ્વીકારનાર તમને પણ... કેવી રીતે તે બેની કેવલજ્ઞાન અને કેવલદર્શનની, અપર્યવસાનતા થાય ? અર્થાત્ થાય નહીં; કેમ કે પર્યાયોનું ઉત્પાદ વિગમાત્મકપણું છે અર્થાત્ દ્રવ્ય અપેક્ષાએ ન ગ્રહણ કરવામાં આવે અને કેવલજ્ઞાન-કેવલદર્શનરૂપ પર્યાયની અપેક્ષાએ સ્વીકારવામાં આવે તો કેવલજ્ઞાનકેવલદર્શન એક સાથે હોવા છતાં કેવલજ્ઞાન-કેવલદર્શનના નવા નવા પર્યાયોનો ઉત્પાદ અને પૂર્વ પૂર્વ પર્યાયોનો વ્યય છે. માટે કેવલજ્ઞાન-કેવલદર્શન અપર્યવસાન થાય નહીં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168