Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 56
________________ ૩૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૭ અહીં કેવલજ્ઞાન-કેવલદર્શન એકદાઉપયોગવાદી કહે કે આ કેવલજ્ઞાન-કેવલદર્શનનું અપર્યવસાનપણું, દ્રવ્ય અપેક્ષાએ છે. તેને ક્રમિકઉપયોગવાદી કહે છે – એમ ન કહેવું. અમારા પક્ષમાં પણ=કેવલજ્ઞાનકેવલદર્શનના ક્રમિકઉપયોગપક્ષમાં પણ, આનું સમાનપણું છે દ્રવ્ય અપેક્ષાએ અપર્યવસાતપણાનું સમાનપણું છે. અહીં કેવલજ્ઞાન-કેવલદર્શન એકદાઉપયોગવાદી કહે કે તદ્વિષયક પ્રશ્ન અને પ્રતિવચનનો અભાવ હોવાથી=દ્રવ્ય વિષયક પ્રશ્ન અને દ્રવ્ય વિષયક પ્રતિવચનનો અભાવ હોવાથી, ક્રમિકઉપયોગના પક્ષમાં દ્રવ્ય અપેક્ષાએ અપર્યવસાનતા નથી એ પ્રમાણે જો એકાઉપયોગવાદી કહે તો, ક્રમિકઉપયોગવાદી કહે છે – તમને પણ=એકદાઉપયોગવાદી એવા તમને પણ, દ્રવ્ય અપેક્ષાથી અપર્યવસાનનું કથન અયુક્ત છે=કેવલજ્ઞાન અને કેવલદર્શનના અપર્યવસાનનું કથન અયુક્ત છે. તેને કેવલજ્ઞાન-કેવલદર્શન એકદાઉપયોગવાદી કહે છે – આ અસત્ છે ક્રમિકઉપયોગવાદીનું કથન અસત્ છે; કેમ કે તે બેનું કેવલજ્ઞાન-કેવલદર્શનનું, યુગપદ્ રૂપ-રસની જેમ ઉત્પાદનો અભ્યપગમ હોવાથી, પરંતુ ઋજુત્વ અને વક્રતાની જેમ ક્રમિક ઉત્પાદનો અભ્યગમ નહીં હોવાથી, ક્રમિકઉપયોગવાદીનું કથન અસત્ છે એમ અત્રય છે. આ રીતે પણ=રૂપ-રસની જેમ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો યુગપદ્ ઉત્પાદ સ્વીકાર્યો એ રીતે પણ, સપર્યવસાનતા છે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ પર્યાયની દૃષ્ટિથી પ્રતિક્ષણ નવો નવો થાય છે માટે સંપર્યવસાનતા છે એ પ્રમાણે ક્રમિકઉપયોગવાદી કહે તો એકદાઉપયોગવાદી કહે છે – એમ ન કહેવું; કેમ કે કેવલી દ્રવ્યથી કથંચિત્ અવ્યતિરેક હોવાથી=કેવલીરૂપ દ્રવ્યથી કેવલજ્ઞાન-કેવલદર્શનનો કથંચિત્ અભેદ હોવાથી, તે બેનું કેવલજ્ઞાનકેવલદર્શનનું, અપર્યવસિતપણું છે. અને ક્રમએકાંતપક્ષમાં પણ આ પ્રમાણે થશે-કેવલીદ્રવ્યથી કેવલજ્ઞાન-કેવલદર્શનનો અવ્યતિરેક સ્વીકારવાથી કેવલજ્ઞાન-કેવલદર્શનની અપર્યવસિતતા થશે, તેને અક્રમવાદી કહે છે – એમ ન કહેવું; કેમ કે અનેકાંતનો વિરોધ છે=નિશ્ચયનયથી ગુણ-ગુણીનો અભેદ હોવાથી ગુણી એવા આત્મદ્રવ્ય સાથે કેવલજ્ઞાનનો અભેદ હોવા છતાં ક્રમવાદીના મતાનુસાર કેવલજ્ઞાન-કેવલદર્શનની ક્રમસર પ્રાપ્તિ છે અને વ્યવહારનયથી ગુણ-ગુણીનો ભેદ હોવાને કારણે ગુણી એવા આત્મદ્રવ્યથી કેવલજ્ઞાનકેવલદર્શનનો ઉપયોગ ક્રમસર થતો હોવાથી કેવલજ્ઞાન-કેવલદર્શનની ક્રમસર પ્રાપ્તિ છે એ પ્રકારે ક્રમવાદીના મતે સ્થાપત થવાથી એકાંતની પ્રાપ્તિ થવાના કારણે અનેકાંતનો વિરોધ છે, અને અહીં પણ સહભાવી ઉપયોગના સ્વીકારમાં પણ, તથાભાવ છે=અનેકાંતનો વિરોધ છે, એમ ક્રમવાદીએ ન કહેવું; કેમ કે તથાભૂત આત્મક એક કેવલીદ્રવ્યનો અભ્યપગમ છે=કેવલજ્ઞાન-કેવલદર્શનાત્મક એક કેવલીદ્રવ્યનો અભ્યપગમ છે રૂપરસાત્મક એક દ્રવ્યની જેમ. અહીં પ્રશ્ન થાય કે રૂપ-રસાત્મક એક દ્રવ્યની જેમ કેવલજ્ઞાન-કેવલદર્શનાત્મક એક કેવલીદ્રવ્યના સ્વીકાર કરવા માત્રથી અક્રમવાદમાં અનેકાંતનો વિરોધ નથી તે કેમ સિદ્ધ થાય ? તેથી કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168