Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 35
________________ ૧૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩ છે ત્યારપછી ‘આ મનોદ્રવ્યના પુગલો આ પ્રકારના ચિંતવનના આકારરૂપે પરિણામ પામેલા છે’ એ પ્રકારનું મનઃપર્યવજ્ઞાન થાય છે, તેથી અવધિદર્શન સાથે મનઃપર્યવજ્ઞાનનું વ્યવધાન સ્પષ્ટ છે. માટે અવધિદર્શનથી મનઃપર્યવજ્ઞાન પૃથક્ છે તેમ અવધિદર્શનના ઉત્તરભાવી થનારું અવધિજ્ઞાન પણ અવધિદર્શનથી પૃથક્ છે. શ્રુતજ્ઞાન શું છે ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે વાક્યના અર્થવિશેષના વિષયવાળું શ્રુતજ્ઞાન છે. ' આનાથી એ પ્રાપ્ત થાય કે વક્તા જે વાક્યો બોલે અથવા શાસ્ત્રના અધ્યયનથી જે વાક્યોનો બોધ કરવામાં આવે અને તે વાક્યો દ્વારા શબ્દના બોધથી ભિન્ન એવા અર્થવિશેષની ઉપસ્થિતિ થાય તે શ્રુતજ્ઞાન છે. જેમ ‘ઘટોઽસ્તિ’ એમ કહેવાથી ઘટ છે એટલો વાક્યાર્થનો બોધ થાય અને ત્યા૨પછી ઘટ પદથી વાચ્ય એવા ઘટરૂપ અર્થની ઉપસ્થિતિ થાય. તે ઘટરૂપ અર્થવિશેષ છે એ પ્રકા૨નો નિર્ણય એ શ્રુતજ્ઞાન છે. મન:પર્યવજ્ઞાન શું છે તે સ્પષ્ટ કરે છે મનોદ્રવ્યવિશેષના આલંબનવાળું મન:પર્યવજ્ઞાન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવ મનોવર્ગણાના પુદ્ગલને ગ્રહણ કરીને પદાર્થના ચિંતવનકાળમાં તેને મનરૂપે પરિણમન પમાડે તે મનોદ્રવ્યવિશેષ છે. તે મનોદ્રવ્યવિશેષને જાણવા માટે મનઃપર્યવજ્ઞાની ઉપયોગ મૂકે ત્યારે તે જીવથી ચિંતવન કરાતા મનોદ્રવ્યવિશેષને અવલંબીને જે જ્ઞાન થાય છે તે મનઃપર્યવજ્ઞાન છે. આ શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન અદર્શન સ્વભાવવાળા છે અર્થાત્ પ્રથમ દર્શન, પછી જ્ઞાન એ નિયમ પ્રમાણે શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન થતું નથી, પરંતુ પ્રથમ દર્શન થયા પછી મતિજ્ઞાન થાય છે અને ત્યારપછી શ્રુતજ્ઞાન થાય છે. તેથી શ્રુતજ્ઞાનનું દર્શન મતિથી અંતરિત છે અને મન:પર્યવજ્ઞાનમાં પણ મનઃપર્યવજ્ઞાન સીધું દર્શનપૂર્વક થતું નથી, પરંતુ પ્રથમ અવધિદર્શન થાય છે, ત્યારપછી અવધિજ્ઞાન થાય છે, ત્યારપછી મન:પર્યવજ્ઞાન થાય છે; કેમ કે મનઃપર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાનનો ઉપયોગ મૂકે ત્યારે તે જીવને પ્રારંભમાં અવધિદર્શનથી તે પુદ્ગલ વિષયક સામાન્ય બોધ થાય છે જે દર્શનરૂપ છે, ત્યારપછી તે મનોવર્ગણાના પુદ્ગલનું જ્ઞાન થાય છે, જે અવધિજ્ઞાનરૂપ છે અને ત્યારપછી ચિંતવન કરાયેલા પુરુષ દ્વારા ચિંતિત મનોવર્ગણાના પુદ્ગલના આકારવિશેષનો બોધ થાય છે જે મનઃપર્યવજ્ઞાન છે. તેથી મન:પર્યવજ્ઞાન પણ અવધિજ્ઞાનથી અંતરિત અવધિદર્શનવાળું છે. વળી, કેવલજ્ઞાન એ દર્શન અને જ્ઞાન સમાનકાળવાળું છે અર્થાત્ કેવલદર્શન અને કેવલજ્ઞાન એ બંને એકસાથે થાય છે; કેમ કે કેવલીના કેવલજ્ઞાનના અને કેવલદર્શનના આવા૨ક કર્મોનો નાશ થવાથી તે તે કર્મોના ઉદયથી પૂર્વમાં જે કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રતિહત હતું તે હવે અપ્રતિહત થવાથી આવિર્ભાવ પામેલું છે અને આવરણના વિગમનથી આવિર્ભાવ પામેલ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો તેવો જ સ્વભાવ છે કે કેવલીને સામાન્ય વિશેષ ઉભયનો બોધ સતત વર્તે છે; કેમ કે છદ્મસ્થની જેમ જાણવાને અનુકૂળ વ્યાપારરૂપ પ્રયત્નથી કેવલીને બોધ પ્રગટ થતો નથી, પરંતુ આવરણના અપગમથી સહજ બોધ વર્તે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168