Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
રૌનક મહેલની રાજખટપટ
ઈકામુદૌલા હસ્તે. “મલેક મુબારક મારી સાથે દગાબાજી રમવા માગે છે, એની સબૂત શી છે?”
સબૂત ! મારી પાસે પૂરતી સબૂત છે. કાલે રાતે થયેલી વાતચીત મેં સાંભળી છે, એટલું જ નહિ, પણ સુલ્તાન કલિખાંએ આપ જે કકે લાવ્યા હતા તેના પર દસ્કત કરી આપી લખી આપ્યું છે કે, તેઓ પોતાના શાહ પ્રત્યે બેવફા થવા તૈયાર છે.”
ઇકામુદૌલા! , પણ તરત જ આત્મસંવરણ કરી હસીને જવાબ આપે:
બાનુ સાહિબા! આખરે આપે છૂપાઈને વાત સાંભળી? આપે લીધેલા કાસમ પાળ્યા નહિ ને ?”
ઇકામુદૌલા! એ સર્વ કેને માટે કર્યું, શા માટે કર્યું, તે શું આપ જાણતા નથી ? હું નહતી ધારતી કે, મારી વફાદારીને માટે આપ આ પ્રમાણે તાને મારશે. હું જાણતી હતી કે, આપ અહી જરૂરી કામે આવ્યા હતા, અને આપને મલેક મુબારકખાં સાથે ખાનગી કામ હતું. પણ આપ મલેક મુબારકખાને ઓળખતા નથી; હું સારી રીતે ઓળખું છું. તે આપની સાથે દગાબાજી કરી, પોતાનું કામ કાઢી લેવા માગે છે. તે આપને એ કાગળ પાછો આપવા ઇરાદો રાખતા નથી. તે ભલું હશે તે સુલ્તાન કલિખાએ દક્ત કર્યા છે, તે વાત આપને જણાવશે જ નહિ; આપને તરકટી જાહેર કરી તે પિતાનું કામ કાઢી લેશે, રાજ્યની સામે બંડ ઉઠાવવાને આરેપ મૂકી આપને કેદ કરાવશે; કદાચ આપની જાનને પણ છે કે પહોંચાડશે. ઈમામુદૌલા, યારા ઈકામ ! તે કાગળ
ક્યાં છે તે હું જાણું છું, અને ખાત્રી રાખજે કે, મારા વગર અન્ય કોઈ આપને તે સ્વાધીન કરે એમ નથી.”
એટલું કહી ખયન્નિસા નીચું જોઈ રહી. ઇઝામુદૌલા તીક્ષ્ણ દૃષ્ટિથી તેના સામું જોઈ રહ્યો. તેના ઉપર લેશ પણ વિકારની છાયા પ્રસરી નહિ. કેઈ નબળા મનના માણસે દગાબાજીની વાત સાંભળી ગુસ્સે જણાવ્યું હોત વા પિતાને માટે ચિંતા દર્શાવી હતી, પણ ઇઝામુદૌલાને ચેહેરે પૂર્વવત શાંત હતું. તેણે વિકારહીન અને લાગણીરહિત સ્વરે કહ્યું -
આપ કહો છો કે, તે પત્ર તમે મને સ્વાધીન કરવા શક્તિમાન છો, વા, તે આપ તેના બદલામાં શું ઇચ્છે છે ?”
“કંઈ જ નહિ. મને બદલાની અપેક્ષા નથી.”
ઈકામુદૌલા સેહે જ હસ્યો. “બાનુ સાહિબા ! હું નથી ધારો કે, આપે નિઃસ્વાર્થપણે એ સર્વ કર્યું હોય. કેવળ મારા હિતની ખાતર આપે એ એારડીમાં સંતાઈ જાગરણ કરી આટલી તક્લીફ ઉઠાવી હોય, એ બનવાજોગ નથી.” --
ખયરુન્નિસાએ રેષવ્યજક સ્વરે કહ્યું, “હજરત! હું ચાર નથી. આપને મારી એટલી પણ કદર નથી? યાહુ ખુદા !” એટલું કહેતાં તેની આંખમાં ઝળઝળિયાં આવ્યાં.
" મારી મહેનતને આ બદલે! મારા કહેવા પર આપને એટલે વિશ્વાસ નથી. આહ! ઇઝામુદૌલા, આપને કયાંથી વિશ્વાસ હોય ? આપ કૃર છે, બેરહમ છે, બેકદર છે.”
“માફ કરે બીસાહિબા ! મારા એમ બોલવાની મતલબ આપના દિલને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com