________________
પ્રિયંકરનુ૫ ચઢિ.
૧૩
કરાવજે.” વળી હે “પ્રાણનાથ ! અહીં રહેતાં મને પુત્રસરણનું દુઃખ દરરોજ સ્મરણમાં આવે છે માટે આપણે અહીંથી અશેકપુરે જઈએ.” આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ કહ્યું કે – હે પ્રિયા ! નગરમાં તે જળ ઈધન તથા છાશ વિગેરે બધું ધનને વ્યય કરવાથી જ મળી શકે; માટે ધનવંત લેકેને નગરમાં રહેવું યોગ્ય છે. અને દરિદ્રજનેને તે ગામડામાં વાસ કરે તેજ ઉચિત છે. વળી હાલમાં આપણી પાસે ધન ન હોવાથી ત્યાં કેઈ આપણું સન્મુખ પણ જેનાર નથી. કહ્યું છે કે
हे दारिद्य नमस्तुभ्यं, सिद्धोहं त्वत्मसादतः। पश्यामि सकलान् लोकान्, न मां पश्यति कश्चन ॥ १॥
હે દારિદ્રશ્ય ! તને નમસ્કાર થાઓ. તારા પ્રસાદથી હું સિદ્ધ થઈ સર્વ લેકેને જોઈ શકું છું, પરંતુ મને કેઈજોઈ શકતું નથી. ” ધન વિના આ જગતમાં કઈ મિત્ર પણ થતું નથી. કહ્યું છે કે – જે દિવસે આપણી પાસે ધન ન હશે તે દિવસે આપણું કોઈ મિત્ર થવાનું નથી. કારણ કે સૂર્ય કમળને મિત્ર છતાં જળ વિના તે વરી સમાન થઈ જાય છે. આ પ્રમાણે પતિનાં વચનો સાંભળી પ્રિયશ્રીએ કહ્યું- હે સ્વામિન્ આપનું કથન બધું સત્ય છે, જે કે પુરૂષે સ્વાભાવિક બુદ્ધિમંત હોય છે, તથાપિ મારું વચન સાંભળે–આ ગામમાં વસનારા બધા કુટુંબીઓ રક તુલ્ય છે અને ત્યાં રહેતાં તમે પણ રંક તુલ્ય થઈ ગયા છે; માટે આપણને એમનાથી ધનપ્રાપ્તિ થવી સ્વપ્ન સમાન છે. કહ્યું છે કે “કુવામાં જેટલું પાણી હોય તેટલું પ્રણાલિકામાં આવે છે, પરંતુ જો કૂપ પોતેજ શુષ્ક હોય તે પછી પ્રણાલિકાની વાત જ શી કરવી ? વળી–