Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 36
________________ ૩૨ પ્રિયંકરનુપ ચરિત્ર. વિનયથી સર્વ પ્રકારની કાર્યસિદ્ધિ થાય છે, વિનયથી ધર્મ અને યશ પ્રાપ્ત થાય છે, વિનયથી સુબુદ્ધિ પ્રાપ્ત થાય છે અને શત્રુઓ હોય તે મિત્ર બની જાય છે.” જે માતપિતાએ બાલ્યવયમાં પિતાના સંતાનને ભણાવે છે તેઓજ ખરા માબાપ સમજવા. કહ્યું છે કે-“રૂપ અને વનથી સંપન્ન હોય અને વિશાળ કુળમાં જન્મ પામ્યા હોય, પણ વિદ્યા વિનાના હોય તે તેવા માણસો ગંધરહિત કેસુડાંની માફક શેભતા નથી. પંડિતમાં સર્વ પ્રકારના ગુણ હોય છે, અને મૂર્ખમાં કેવળ દેષજ હોય છે, માટે હજારે મૂર્ખા કરતાં એક પ્રાણ જન શ્રેષ્ઠ ગણાય છે. વિદ્યા એ માણસનું રમ્ય રૂપ છે, પ્રચ્છન્ન અને ગુપ્ત ધન છે, વિદ્યા ભેગ અને યશને આપવા વાળી છે, વિદ્યા મોટાઓ કરતાં પણ મોટી છે, પરદેશમાં તે બંધુની ગરજ સારે છે, તે પરમ દેવત છે, તે રાજાઓમાં પૂજાય છે પણ ધન પૂજાતું નથી, માટે વિદ્યાહીન માણસ પશુ સમાન ગણાય છે.” પ્રમાણે વિદ્યાનું મહત્વ વિશેષ હોવાથી ગુરૂની પાસે ધર્મશાસ્ત્ર ભણતાં પ્રિયંકર દુર્ગતિના કારણરૂપ મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યકૃત્વ પામ્યો. કહ્યું છે કે “મિથ્યાત્વ એજ નિબિડ અંધકાર છે, મિથ્યાત્વ એજ ભયંકર શત્રુ છે. વિષ તે એકજ જન્મમાં દુઃખકારક થાય છે, પણ મિથ્યાત્વ તે હજારે જન્મ સુધી દુઃખકારક નીવડે છે અને તેની ચિકિત્સા પણ થઈ શકતી નથી. સમ્યકત્વ એ વ્રતરૂપ વૃક્ષનું મૂળ છે, પુણ્યનગરનું દ્વાર છે, ક્ષમહેલની પીઠ છે અને સર્વ સંપત્તિઓનું તે નિધાન છે. દાન, શીલ, તપ, પૂજા, તીર્થ યાત્રા, પરમ દયા, સુશ્રાવકત્વ અને વ્રત પાલનએ જે સમ્યકૃત્વ પૂર્વક આચરવામાં આવે તે જ મહાફળને આપે છે.” - આ પ્રમાણે તે પ્રિયંકર સમ્યક્ત્વ, રત્નત્રય, નવ તત્વ અને

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100