Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 64
________________ પ્રિયંકરનુપ ચરિત્ર યે હોય તેમ ક્ષણવાર મન રહીને કહેવા લાગે કે- હે વિપ્ર ! તુંજ પ્રથમ તારી ભાર્યાને લઈને ચાલ્યા ગયે હતા અને અત્યારે ફરી પાછા આવીને કેમ માગે છે? સાત નિશાનીઓ પણ તે વખતે તે સાબીત કરી આપી હતી, હવે વૃથા વિવાદ શા માટે કરે છે? અથવા તે બ્રાહ્મણે આવા દાંભિક હોય છે, તે હું જાણું છું.” બ્રાહ્મણે કહ્યું કે-“હે વણિકપુત્ર! જેમ તેમ ન બોલે, દાંભિક તે વાણીયાજ હોય છે. કહ્યું છે કે–દાંભિક લોકે દેવતાઓને પણ ઠગી લે છે, તે માણસેને ઠગે તેમાં તે શું મેટી વાત છે ? એક વાણિયાએ દેવી અને યક્ષ બંનેને એક લીલામાત્રમાં ઠગી લીધા હતા. વળી હું અહીં આવ્યા જ નથી. આ સંબંધમાં હું શપથ ( સમ) લેવા પણ તૈયાર છું; માટે જે લેભ કરીને મારી સ્ત્રી મને નહિ સેપે, તે હું તમને બ્રહ્મહત્યા આપીશ.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર ભય પામી ખિન્ન અને શ્યામ મુખવાળ થઈને હદયમાં વિચારવા લાગે કે-પહેલાં નિ કેઈ દુષ્ટ વિદ્યાસિદ્ધ આ બ્રાહ્મણનું રૂપ કરી એની સ્ત્રી લઈને ચાલ્યા ગયે જણાય છે. હવે શું થશે?” આ પ્રમાણે દિમૂઢ થયેલા પ્રિયંકરને બ્રાહ્મણે કહ્યું કે-“હું અવશ્ય મારી સ્ત્રી લઈને જ જવાને છું.” એમ કહીને તે તેના ઘરના દ્વાર આગળ બેઠે. આમ કરતાં તે બ્રાશ્રણને એક લાંઘણ થઈ, એટલે બધા સ્વજનેએ મળીને પ્રિયંકરને કહ્યું કે ખરેખર કોઈ વ્યંતરે આવીને તેને વિપત્તિમાં નાખ્યો છે. કહ્યું છે કે રામચંદ્ર હેમમૃગને જાણ ન શક્યા, નહુષ રાજા વાહનમાં બ્રાહણેને જોડવા લાગ્ય, બ્રાહ્મણ પાસેથીજ ચક્ર સહિત ધૂમ હરણ કરી લેવાની અર્જુનને મતિ થઈ અને યુધિષ્ઠિરે પિતાના ચાર ભાઈને તથા પોતાની પટરાણીને ઘુતમાં મૂક્યાં, માટે વિનાશ

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100