Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 85
________________ પ્રિય કનુપ ચરિત્ર. લાખ પલ્યાપમનુ અને સન્મુખ ગમન કરવાથી એક સાગરોપમનુ સંચિત પાપ પ્રલય પામે છે.' વળી- નમસ્કાર સમાન મત્ર નથી, શત્રુંજય સમાન તી નથી, જીવટ્ઠયા સમાન ધમ નથી અને કલ્પસૂત્ર સમાન શાસ્ત્ર નથી.” આ પ્રમાણે શ્રીગુરૂના ઉપદેશ સાંભળીને પ્રિય કરરાજા ધર્મ કાર્યોમાં વિશેષે દ્રઢ મનવાળા થયા. ૯૧ પછી રાજાએ શ્રીગુરૂને નમસ્કાર કરીને ઉપસ હરસ્તાત્ર ગણુવાની આમ્નાય પૂછી. એટલે ગુરૂમહારાજ ખેલ્યા કે–‘હે રાજન્ ! આ સ્તવમાં શ્રીભદ્રબાહુસ્વામીએ અનેક મત્ર યંત્રા ગોપવી રાખ્યા છે. જેનું સ્મરણ કરતાં અત્યારે પણ જળ, અગ્નિ, વિષ, સર્પ, દુષ્ટ ચ ુ, રાજરેાગ, રાક્ષસ, શત્રુ, મરકી, ચાર અને શ્વાપદ વિશેરૈના કરેલા ભય વિનાશ પામે છે. વળી હે રાજન્ ! તને આ સ સંપત્તિની પ્રાપ્તિ પણ એજ સ્તવને પાર્ક કરવાના પ્રભાવથીજ થઇ છે. આ સ્તવમાં પ્રથમ છ ગાથા હતી. છઠ્ઠી ગાથાના પાઠથી ધરણેદ્ર પ્રત્યક્ષ આવીને સ્મરણ કરનારનું પોતેજ કષ્ટ નિવારણ કરતા હતા. તેણે શ્રીભદ્રબાહુસ્વામીને વિન ંતિ કરી કે‘ હે ભગવન્! વારંવાર અહીં આવવું પડવાથી હું સ્વસ્થાને સુખે રહી શકતા પણ નથી, માટે મારાપર કૃપા કરીને આ છઠ્ઠી ગાથા આપ ગુપ્ત રાખો. પાંચ ગાથાનું આ સ્તંત્ર સંભારનાર ભવ્યેાને હું સ્વસ્થાને રહ્યો સત્તાજ સહાય કરીશ.' આ પ્રમાણેની તેની વિનંતિથી છઠ્ઠી ગાથા ગુપ્ત કરવામાં આવી, ત્યારથી આ સ્નેાત્ર પાંચ ગાથાનુ ગણાય છે. તેમાં પ્રથમ ગાથાથી ઉપસ, ઉપદ્રવ અને વિષધરના વિષની નિવૃત્તિ થાય છે, પ્રથમ અને દ્વિતીય ગાથાથી ગ્રહ, રાગ, મરકી, વિષમજવર, સ્થાવર કે જંગમ વિષ્ણુ ઉપશમન થાય છે, પહેલી, ખીજી અને ત્રીજી ગાથા ગણવાથી દુઃખ, દૈત્ય

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100