Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 45
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. ૪૧ જાણતા નથી.” આથી રાજાએ ફરીને સિદ્ધને પૂછયું કે- હે સિદ્ધ! આજે હું શું ભજન કરીશ?” તે બોલ્યા કે “હે રાજન્ ! આજ તમે મગનું પાણી માત્ર જમશે, અને તે પણ સંધ્યાવખતે જમશે.” રાજાએ કહ્યું કે- એ તો બીલકુલ અસત્ય છે, કારણ કે આજ મારે શરીરે અત્યંત આરોગ્ય વર્તે છે, જવરાદિક કંઈ પણ નથી; અથવા તે હમણાજ સંધ્યા થતાં બધું જણાઈ આવશે.” આ બધી વાત સાંભળીને સભાજનેને પણ આશ્ચર્ય થયું. એવામાં સિધ્ધ પુનઃ બે કે-“માઘમાસના શુકલપક્ષની પૂર્ણિમા ને ગુરૂવારને દિવસે પુષ્યનક્ષત્રમાં પ્રિયંકર રાજા થશે, તેમાં કોઈ પ્રકારને સંશય કરશો નહીં.” ને પછી રાજાએ તે જ ક્ષણે પ્રિયંકરને કેદખાનામાંથી બેલાવીને પિતને ઘેર ભેજન કરાવ્યું તથા શ્રેષ્ઠ વસ્ત્રાદિકથી તેને સત્કાર કર્યો, અને સ્નેહપૂર્વક તેને પિતાની પાસે રાખ્યો. કહ્યું છે કે – કાગડાએ સર્વત્ર કૃષ્ણ (કાળા)જ હોય છે અને શુક પક્ષીઓ સર્વત્ર લીલાજ હોય છે, તેમ દુઃખી જનેને સર્વત્ર દુઃખ હોય છે અને ભાગ્યવંત જનને સર્વત્ર સુખ જ મળે છે.” પછી રાજાએ ઘણુ વખત સુધી તે સિદ્ધપુરૂષની સાથે વાર્તાલાપ કરીને તેને વિસર્જન કર્યો. પછી રાજા સભા વિસર્જન કરી પિતાને ઘેર જઈને બેઠે; અને જમવાની તૈયારી કરે છે તેવામાં તેને અકસ્માત મસ્તકમાં પીડા થઈ આવી. એ અવસરે રસોયાએ આવીને રાજાને વિજ્ઞપ્તિ કરી કે-“હે સ્વામિન્ ! તમામ રસોઈ તૈયાર થઈ ગઈ છે, માટે ભેજન કરવા પધારે.” રાજાએ કહ્યું કે હું છેડીવાર રહીને ભજન કરીશ, અત્યારે મારું મસ્તક દુઃખે છે. ” એમ કહીને તે પલંગ પર સુતે એટલે તેને નિદ્રા આવી ગઈ. પછી વતને ઘેર જઇને પોતાની જ છે અને શું છે

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100