Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 56
________________ પ૨. પ્રિયંકરપ ચરિત્ર. હાલ તે હું સ્વગૃહના કાર્યમાં વ્યાકુળ છું, માટે થડે વખત ધીરજ રાખે.” એટલે શ્રેષ્ઠીએ કહ્યું કે-“ઉત્તમ જને તે પોતાનું કાર્ય તજીને પણ પરકાર્ય કરે છે. કહ્યું છે કે “સુજન જને પોતાના કા થી વિમુખ થઈને સદા પરકાર્ય કરવામાં આસક્ત હોય છે, કારણ કે ચંદ્રમા વસુધાને ઉજ્વળ કરે છે અને પિતાના કલંકને સ્પર્શ પણ કરતું નથી.” વળી નૈષધકાવ્યમાં કહ્યું છે કે याचमानजनमानसटत्तेः, पूरणाय बत जन्म न यस्य । तेन भूमिरतिभारवतीयं, न द्रुमैन गिरिभिन समुद्रैः ॥१॥ યાચના કરનારા માણસોની મને વૃત્તિને પૂર્ણ કરવા માટે જેને જન્મ નથી તેવા પુરૂથી જ આ ભૂમિ અત્યંત ભારવાળી છે, પણ વૃક્ષ, પર્વત કે સમુદ્રોથી તે ભારવતી નથી.” આ પ્રમાણે શેઠના કહેવાથી પ્રિયંકરે તેનું વચન સ્વીકારી લીધું, અને પ્રથમ તેનું સમસ્ત ઘર સમ્યગધ્યાનપૂર્વક જોઈને કહ્યું કે-“હે શ્રેષ્ઠિન ! આ તમારું ઘર વાસ્તુશાસ્ત્રમાં કહેલી વિધિથી બનાવવામાં આવ્યું છે, તથાપિ સૂત્રધાર (શિલ્પી) ના પ્રમાદથી કંઈક સદોષ થઈ ગયું છે. કારણ કે તેણે દ્વારના ભારવટ્ટપર મંગળનિમિત્તે જિનબિંબને સ્થાને યક્ષમૂર્તિ સ્થાપી છે. કહ્યું છે કે-“સ્વહિતેચ્છુ પૂરૂષે પોતાના ઘરમાં સદા મંગળનિમિત્ત દ્વારના ભારવટુપર જિનેંદ્રની મૂર્તિ આળેખાવવી. વળી શકટના આકાર જેવું (આગળ સાંકડું ને પાછળ પહેલું ) બાંધેલ ઘર ધન અને સંતતીને નાશ કરે છે, મુખમાં ધૂસરાકાર હેય (આગળ બહુ પહેલું ને અંદર તદ્દન સાંકડું) તે તે યશ અને કીર્તિથી રહિત કરે છે, ત્રિકેણ હોય તે અગ્નિને ભય થાય છે અને વિષમ હોય તે રાજાથી ભય થાય છે,

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100