Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 61
________________ ૫૭ પ્રિયંકરનુ૫ ચરિત્ર. એવા અવસરમાં કઈક મધ્યમ વયને નિર્ધન બ્રાહ્મણ દેશાંતરથી પ્રિયંકરને ઘેર આવ્યા, અને આશીર્વાદ દઈને તેની આગળ બેઠે, એટલે પ્રિયંકરે મધુર વચનથી તેને બેલાબે“હે દ્વિજોત્તમ! અહીં આપનું આગમન શા નિમિત્તે થયું છે?” તે બે કે- હે સહુરૂષ ! તમારા લાયક કંઈક કાર્ય છે. ” એટલે પ્રિયંકર બે કે- તમે સુખે ફરમાવે, જે મારાથી બની શકશે તે હું કરી આપીશ.” બ્રાહ્મણ બોલ્યા કે-“હે સજજન! જે આ૫ પ્રાર્થનાને ભંગ ન કરે, તેજ હું પ્રાર્થના કરું. કહ્યું છે કે- પરની પ્રાર્થના સાંભળીને માત્ર બેસી રહેનાર એવા પુત્રને હે જનનિ ! જન્મજ આપીશ નહિ, અને જે પરની પ્રાર્થનાને ભંગ કરે એવા પુત્રને તે ઉદરમાં પણ ધારણ કરીશ નહિ.” વળી હે સંપુરૂષ ! આ જગતમાં પરોપકાર એજ સાર છે. કહ્યું છે કે ચંચા (મનુષ્યાકૃતિ) ક્ષેત્રનું રક્ષણ કરે છે, વિજા ઘરનું, ભસ્મ કણનું અને દાંતમાં રાખેલ તૃણ (શત્રુથી) પ્રાણોનું રક્ષણ કરે છે. બાકી ઉપકાર વિનાના નર તે પ્રયજન વગરના (નકામા)જ છે.” ઈત્યાદિક વિવેચન કરીને તે વિખે પિતાનું કાર્ય તેની આગળ નિવેદન કર્યું કે-“હે ઉત્તમ! સિંહલદ્વીપમાં સિંહલેશ્વર નામે રાજા છે. તેણે એક મટે યજ્ઞ માં છે. ત્યાં દક્ષિણામાં બધા બ્રાહ્મણોને તે લક્ષમૂલ્યવાળે હાથી આપવાનો છે, માટે લેભથી પરાભવ પામેલો હું દરિદ્રી તે હાથી લેવાને ત્યાં જવા ઇચ્છું છું. કહ્યું છે કે- આ દુર્ભર (દુઃખે ભરવા લાયક) ઉદરને માટે શું શું ન કરાય, કેને કેને ન પૂછાય અને કયાં કયાં મસ્તક ન નમાવાય? દ્રવ્યના લેભીઓએ શું શું ન કર્યું અને શું શું ન કરાવ્યું? અર્થાત કાંઈ બાકી રાખ્યુંજે નથી.”માટે ત્યાં જવાને

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100