________________
૩૦
પ્રિયંકરપ રાત્રિ.
સન્માન આપ્યું, અને ભેજનાવસરે નાના પ્રકારની પૂર્વે નહિ જેચેલી એવી વસ્તુઓ પીરસીને તેમને બહુ સત્કાર કર્યો. કહ્યું છે કે-સાકર, અમૃત કે દૂધ મિષ્ટ નથી, પણ માનપૂર્વક ભોજન કરવું એજ અતિ મિષ્ટ અને ઈષ્ટ છે. વળી “પાણીને રસ શીતળતા છે, પારકા ભજનને રસ આદર છે, અનુકૂળતા એ સ્ત્રીઓને રસ છે અને સુવચન એ મિત્રોને રસ છે.”
કેટલાક દિવસો પછી મહત્સવ સમાપ્ત થતાં નાના પ્રકારનાં વસ્ત્રાભરણ આપવા વડે સત્કાર પામેલી, અને પ્રિયશ્રીનાં વિનય, વિવેક અને વચનચતુરાઈથી ચમત્કાર પામેલી તે બહેને પરસ્પર બેલવા લાગી કે “ અહે ! આ આપણું બહેનનું ગાંભીર્ય અને ચાતુર્ય કેવા પ્રકારનું છે? તેણે આપણે કે સત્કાર કર્યો? કહ્યું છે કે –“અશ્વ અશ્વમાં, હાથી હાથીમાં, લેહ લેહમાં, કાષ્ઠ કાષ્ઠમાં, પાષાણ પાષાણમાં, વસ્ત્ર વસ્ત્રમાં, સ્ત્રી સ્ત્રીમાં અને પુરૂષ પુરૂષમાં મોટું અંતર રહેલું છે. આપણે તે દિવસે એની જે મશ્કરી કરી હતી તે ખરેખર આપણે અગ્ય જ કર્યું છે. કહ્યું છે કે હાસ્યથી મહાજને પણ લઘુતા પામે છે. જુઓ! સહજના હસ્યથી ધનાએ સ્ત્રીઓને તજી દીધી, હાસ્યથી ક્ષુલ્લક સાધુનું અવ ધિજ્ઞાન ચાલ્યું ગયું અને હાસ્યથી મિત્રે શત્રુ જેવા થઈ જાય છે.” પછી લજજા પામીને તે બહેનેએ પ્રિયશ્રીને ખમાવી, એટલે પ્રિયશ્રીએ કહ્યું કે-“હે બહેને! એ સંબંધમાં તમારોકેઈ જાતને દેષ નથી. મારા પૂર્વે કરેલા અશુભ કર્મનું જ એ ફળ હતું. બાકી જે પ્રાણીઓ ધનને ગર્વ કરે છે તેઓ અવશ્ય આ ભવમાં અને પરભવમાં દરિદ્રતાને પામે છે. કહ્યું છે કે “હે મૂઢ પ્રાણી!“હું ધનવંત છું” એ ગર્વ ન કર, અને હું ધનહીન છું” એ ખેદ