Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ પ્રિયંકરપ ચરિત્ર. છે તે સંપત્તિની સાથે સુખ પામે છે. ગાય, અશ્વ, રાજા, ગજ (હાથી) અને દેવએ શિવાય બીજી વસ્તુ સ્વપ્નમાં જો કૃષ્ણ વર્ણવાળી જોવામાં આવે છે તે બધી અપ્રશસ્ત છે અને કપાસ તથા લવણ શિવાય બીજું શ્વેત વર્ણવાળું જે કાંઈ જોવામાં આવે તે બધું પ્રશસ્ત છે. સ્વપનમાં માણસને દેવતા, ગુરૂ, ગાય, પિતા, સંન્યાસી અને રાજા જે પ્રમાણે કહે છે તે પ્રમાણે થાય છે.” આ પ્રમાણે પતિનાં વચન સાંભળીને પ્રિયશ્રી પ્રમુદિત થઈને ત્યાં જ સુખે રહી અને દિવસો વ્યતીત કરવા લાગી. પછી સંપૂર્ણ સમયે સારે નક્ષેત્રે અને સારે લને તેને પુત્રની પ્રાપ્તિ થઈ, એટલે શ્રેષ્ઠીએ પણ પિતાની સ્થિતિ પ્રમાણે સંક્ષેપથી તેને જન્મત્સવ કર્યો. હવે કેટલાક દિવસ પછી પોતાના પુત્ર તથા પ્રિયાની સાથે અશેકપુર ભણી જવાને ઈચ્છનાર શ્રેષ્ઠી શુભ દિવસે અને શુભ મુહુ માર્ગમાં સારા શુકનની પ્રતીક્ષા કરતે ઉભો રહ્યો તેટલામાં એક કુતરો મુખમાં કંઈક ખાવાનું લઈને જમણી બાજુથી ડાબી બાજુએ ચાલ્યું. તે વખતે શ્રેષ્ઠીએ શકુન પાઠકને પૂછ્યું કે “આ શુકન કેવા પ્રકારનું છે ? ” તેણે કહ્યું કે-“હે શ્રેષ્ઠિન ! એ શુકન શુભસૂચક છે. નગરમાં જતાં તમને સર્વ પ્રકારની સિદ્ધિ થશે.” કહ્યું છે કે-“ ગમન કરતાં રસ્તામાં શ્વાન જે અશુચિ પદાર્થનું ભક્ષણ કરતે જોવામાં આવે તે જોનારને અશન પાન વિગેરે મિષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. જે ધાનના મુખમાં ધાન્ય હોય તો લાભ, મુખમાં વિષ્ટા હોય તે સુખ અને મુખમાં જે માંસ ભક્ષણ કરતે જોવામાં આવે તે તરત રાજ્યની પ્રાપ્તિ થાય છે..” એવામાં તેજ શ્વાન પિતાના કાન ખંજવાળવા લાગ્યું. એટલે શકુન પાઠકે શેકીને કહ્યું કે-“ હે શેઠ! તમને અત્યંત

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100