________________
૧૮
પ્રિયંકરપ ચરિત્ર. પુનઃ પ્રગટ થયેલ આકાશવાણી સાંભળીને તે બંને દંપતી અત્યંત હર્ષ પામ્યા. શ્રેષ્ઠીએ ચારે બાજુએ તથા ઉપર આકાશમાં જોયું, પણ દેવાદિક કે જોવામાં ન આવ્યું, એટલે તેણે પિતાની પ્રિયાને કહ્યું કે પુણ્ય વિના પ્રાણીને દેવદર્શન પ્રાયઃ ન થાય. કહ્યું છે કે જેનું પૂર્વકૃત પુણ્ય ઉત્કૃષ્ટ હોય તેને જ દેવતાઓ પ્રત્યક્ષ થાય છે? જુઓ ! તીર્થકોના કલ્યાણકમાં સંખ્યાબંધ દેવતાઓ સેવા કરવા તત્પર થાય છે. આ પ્રમાણે પ્રિયાને કહીને ફરી શેઠ બોલ્યા કે-આ દેવ કોણ છે કે જે અદશ્ય રહીને મારું આવા પ્રકારનું સમીહિત કહે છે?” આ પ્રમાણે સાંભળીને એક દેવ ત્યાં પ્રગટ થઇ શેઠને કહેવા લાગ્યું કે હે શ્રેષ્ઠિન ! હું તારે પૂર્વને પુત્ર મરણ પામીને દેવતા થયે છું. તે વખતે તમે કહેલ નમસ્કાર મહામંત્રના શ્રવણથી હું ધરણે દ્રના પરિવારમાં દેવતા થયો છું અને આ આમ્રવૃક્ષને હું અધિષ્ઠાયક છું. તમારા સ્નેહના વશથી મારા આ ભાઈને રાજ્યની પ્રાપ્તિ થશે ત્યાં સુધી હું સહાય કરીશ. આ મારો ભાઈ મહાભાગ્યવંત છે, માટે માટે હવે તમારે કશી જાતની ચિંતા ન કરવી; પરંતુ આ બાળકને મારું નામ આપવું કે જેથી તે દીર્ધાયુષી થાય.” આ પ્રમાણે સાંભળીને શેઠ બોલ્યા કે “હે દેવ ! તમારું શું નામ છે?” દેવે કહ્યું કે મારું નામ પ્રિયંકર છે. એટલે શ્રેણીએ પણ દેવનું કથન અંગીકાર કરીને પિતાના પુત્રનું પણ પ્રિયંકર એવું નામ રાખ્યું. પુનઃ દેવે કહ્યું કે- હે શ્રેષ્ઠિત્ ! સંકટવખતે અહીં આવીને આ વૃક્ષની આગળ ધૂપાદિક કરીને કાર્ય નિવેદન કરજે, કે જેથી હું તમારી આશા તત્કાળ પૂર્ણ કરીશ. કહ્યું છે કેભેગથી દેવતાઓ, ભેગથી વ્યંતરે અને ભેગથી ભૂતપ્રેતાદિક