________________
૨૦
- પ્રિયંકરપ ચરિત્ર.
(મુખપરની વેલ) થી સમસ્ત ઘરને સુગંધી કરી દેતી હતી, વિવિધ સુગંધયુક્ત પુષ્પને પિતાના અબડામાં ધારણ કરતી હતી, કાનમાં સુવર્ણકુંડળથી અલંકૃત હતી, કંઠમાં ખેતીની માળાથી સુશોભિત લાગતી હતી, આંગળીઓમાં રત્નજડિત સુવર્ણ મુદ્રિકાઓથી ભૂષિત હતી અને સુવર્ણનાં કંકણથી તેને બંને હાથ શોભાયમાન લાગતા હતા. આ પ્રમાણે સર્વાગે અલંકારેથી અલંકૃત હેવાથી તેઓ દેવાંગનાઓ જેવી દીપતી હતી, અને આ પાસદરશેઠની પત્ની પ્રિયશ્રીએ તે નિધન હેવાથી સામાન્ય વસ્ત્ર, છર્ણ કાંચળી અને જીર્ણ કસુંબી રંગનું વસ્ત્ર પહેરેલું હતું, કાનમાં સીસાના કુંડલ પહેર્યા હતા, તાંબૂલરહિત મુખ હતું, બધા વાળ મલીન દેખાતા હતા, પીતલના કંકણુ અને મુદ્રિકા પહેરી હતી, સ્વજનેમાં આદર ન પામતી તે બિચારી ઘરના એક ખુણામાં બેસીને મનમાં અત્યંત લજજા પામી વાસણ માંજવા વિગેરે કામ કરતી હતી. મનમાં વિચારતી કે-“અહો ! જગતમાં કઈ કઈને વલ્લભ નથી. કહ્યું છે કે – પક્ષીઓ ફળરહિત વૃક્ષને, હંસે શુષ્ક સરેવરને, ભમરાઓ ગંધરહિત પુષ્પને, સેવકે રાજભ્રષ્ટ રાજાને, ગણિકાઓ નિર્ધન પુરૂષને અને મૃગલાઓ દગ્ધ વનને તજી દે છે. સર્વ કેઈ સ્વાર્થને વશ થઈનિજ રમણુતા કરે છે, બાકી વાસ્તવિક કેઈકેઈને પણ વલ્લભ નથી.” દ્રવ્યથી મદોન્મત્ત થયેલી બીજી બહેને તેને હસતી હતી. બીજા લેકે પણ કહેતા હતા કે-અહો ! ભગિનીપણું સમાન હોવા છતાં પુણ્ય પાપનું કેટલું બધું અંતર છે! આ બિચારી સંધવા વિગેરેનું કામ કર્યા કરે છે અને બીજી બહેને રાણીની માફક તેના પર હુકમ ચલાવે છે. કહ્યું છે કે જેઓ તપ કે સયંમ આચરતા નથી તેઓ હાથ, પગથી બીજા જનની સમાન હોવા છતાં પુણ્યભાવથી