Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૧૦ ]
ઉપદેશપદ- અનુવાદ
કરવાનો ઉપાય તેણે આ પ્રમાણે જણાવ્યો. વિશ્રાંતિ કરતા ઘડાઓમાં જે ઘોડો ભડકે નહિં, તેની માગણી કરવી. આનંદિત મનવાળા તે યુવકે તેના વચનને સ્વીકાર કર્યો. પહેલેથી જ તેવા પ્રકારના ઘોડાની પરીક્ષા કરી લીધેલી છે, તેથી વેતન-દાનના સમયે પરીક્ષિત બે અધોની માગણી કરી. અશ્વપતિએ સનેહ સહિત કહ્યું કે, આ સર્વ અધોમાં આ બે ઘોડા ઉત્તમ છે, એ બે ગ્રહણ કરે છે, તે સર્વે ઘડા કેમ ગ્રહણ કરતો નથી? ત્યારે સામો જવાબ આપ્યો કે, “મારે સર્વેનું પ્રયોજન નથી.” ત્યારે અશ્વપતિએ વિચાર્યું કે, “આ યુવક ઘણું લક્ષણોને ભંડાર છે. નહિંતર આટલા અમાંથી માત્ર આના ઉપર જ દષ્ટિ કેમ ઠરી? તો મારી પુત્રી આપીને તેને ઘરજમાઈ કરું.” આ વાત પિતાની પત્નીને કરી, તે તે તેમ ઈચ્છતી નથી. ત્યારે અશ્વપતિએ કહ્યું કે, “હે ભોળી ! આ લક્ષણવંત યુવક મારા ઘરની આબાદી કરનારે થશે.” આ વિષયમાં એક ઉદાહરણ આપું છું, તે સાંભળ-“એક યુવકને તેના મામાએ પિતાની પુત્રી આપી, પરંતુ ઘરે કંઈ પણ કાર્ય કરતા નથી, પરંતુ અટવીમાં જઈને સાંજે ખાલી હાથે પાછો આવે, ત્યારે તેની સ્ત્રી ઠપકે આપવા લાગી કે, “તમે તદ્દન આળસુ કેમ રહે છે ?” છઠે મહિને તેણે લક્ષણયુક્ત કાષ્ટ મેળવ્યું અને તેમાંથી એક લાખ પ્રમાણ દ્રવ્ય મળે તેવું કાષ્ઠમાપ વિધિથી ઘડાવ્યું. એક ધાન્યના વેપારીને વેચી તેણે ઈચ્છિત ધન મેળવ્યું. તે લક્ષણવંતા કાષ્ઠમાપના પ્રભાવથી તેને ઘરે અનેક પુત્રાદિક સંપત્તિ પ્રાપ્ત થઈ. એ પ્રમાણે ઘરમાં લક્ષણયુક્ત કોઈને પ્રવેશ થાય, તે કુટુંબની વૃદ્ધિ થાય.” ત્યાર પછી લક્ષણવાળા તેને પિતાની પુત્રી આપી. અથવા–
દ્વારિકા નગરીમાં કુણે રાજ્ય-પ્રાપ્તિ કરી, ત્યારે કૃષ્ણ અને તેના કુમારો અશ્વ-વેપારીઓ દ્વારા અશ્વો ખરીદવા માંડ્યા. તેમાં કુમારો શરીરવાળા અશ્વો. નક્કી બળવાન હોય છે–એમ માનીને ખરીદ કરવા લાગ્યા. જ્યારે કૃષ્ણજી દુર્બળ હોવા છતાં પણ લક્ષણવાળા ઘડાને ખરીદ કરે છે. તેને દેખી કુંવર હસવા લાગ્યા કે, આ દુર્બલ ઘોડો કેમ ખરીદ્યો ? ત્યારે કૃષ્ણજીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે-આ અશ્વ કાર્ય સાધવા સમર્થ છે, પુષ્ટ પણ આ તમારા અશ્વો તેવા નથી, એટલું જ નહિં, પરંતુ બીજા ઘોડા અને બીજી પણ ઘણી વસ્તુઓ આના પ્રભાવથી પ્રાપ્ત થશે. આ પ્રમાણે અશ્વપતિ અને કૃષ્ણની વૈનવિકી બુદ્ધિનો પ્રભાવ છે કે, જેથી પહેલાએ ઘરજમાઈ અને ઘોડા બંનેને સ્વાધીન રાખ્યા. (૨૦)
ગાથા અક્ષરાર્થ –અશ્વ નામનું દ્વાર–અશ્વનું રક્ષણ કરનાર યુવક, અશ્વપતિની પુત્રીની શીખવણીથી ગોફણથી ફેકેલા પાષાણુના ટૂકડા જે વૃક્ષ ઉપર ચડીને છોડવામાં આવતા હતા, છતાં નિર્ભય રહે તેવા અશ્વોની પગાર પેટે માગણી કરવી. બાકીની હકીક્ત દષ્ટાન્તમાં કહેવાઈ છે. (૧૧૨)
૧૧૩–ગર્દભ નામનું દ્વાર–આ વિષયમાં કેઈ યુવાન-પ્રિય રાજાએ વિજયયાત્રાએ પ્રયાણ કર્યું, ત્યારે સવે લોકોને જણાવ્યું કે, મારા સૈન્યમાં એક પણ વૃદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org