Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 585
________________ ૫૪૨ ] ઉપદેશપદ-અનુવાદ ૯૫૦–હવે અહિં શંકા કરતા કહે છે કે, આ ત્રણમાંથી પ્રથમનાં બે અનુષ્ઠાને નિશ્ચયનયના અભિપ્રાયથી ધર્માનુષ્ઠાન તરીકે માનવા યુક્તિયુક્ત નથી. શાથી? તો કે, માતા-પિતાદિકના વિનયદિક કરવા, તેમાં સમ્યગ્દર્શન આદિની આરાધના ગણાતી નથી. તથા તેમજ ભવના વૈરાગ્યથી રહિત એવું દેવપૂજદિક વિષયભૂત એ પણ ધર્માનુકાન કેવી રીતે ગણવું? કઈ પ્રકારે ન ગણાય. કારણ કે, ધર્માનુષ્ઠાને પરમાર્થના ઉપગ-સ્વરૂપ હોય છે. માટે એકલું ભાવાભ્યાસ અનુષ્ઠાન જ સ્વીકારવા લાયક છે. (૯૫૦) અહિ ત્રણે પ્રકારનું અનુષ્ઠાન છે, તેનું કોઈ પ્રકારે સમર્થન કરતા જણાવે છે કે ૫૧-વ્યવહારનયના આદેશથી, વિષયભેદના પ્રકારથી અપુનબંધક વગેરેમાં પણ ધર્માનુષ્ઠાન માનેલું છે. હવે જે આત્મા ફરી કઈ વખત કમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાને નથી, એવો જે અપુનબંધક જીવ હેય, તે અતિતીવ્ર ભાવથી પાપ ન કરે એવા લક્ષણવાળે અને આદિશદથી અપુનબંધક જીવની જે આગળ આગળની ઉત્તરાવસ્થા, વિશિષ્ટાવસ્થા, માર્ગાભિમુખ, માર્ગ પતિત, અવિરત સમ્યગ્દષ્ટિ અવસ્થા તે પણ અહિં ગ્રહણ કરવી. અહિં તો વ્યવહાર આદેશથી ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનોના વિષયમાં અનુક્રમે આગળ કહીશું, તે ઉદાહરણે જાણવાં. (૯૫૧) તેમાં પ્રથમ ઉદાહરણ વિચારતા ૧૮ ગાથા કહે છે – સતત અભ્યાસ વિષયક ઉદાહરણ– ૯૫ થી ૯૬૮–આગલા ભવમાં જાતિસ્મરણના હેતુઓ સેવનાર એ ગજપુરનો સ્વામી કુરુચંદ્ર નામનો રાજા મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થયો. ત્યાર પછી નરકમાંથી બહાર નીક. લીને; જાતિસ્મરણના હેતુઓ બતાવે છે. માતા-પિતાની વિનયથી સેવા કરવી. તે આ પ્રમાણે જાણવી. “ત્રણે ય સંધ્યા-સમયે તેમનું પૂજન, વગર અવસરે પણ તેમની પાસે જવાની ક્રિયા કરવી, ચિત્તમાં તેમને સ્થાપન કરી રાખવા, તથા રોગી, બીમાર એવા સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકાદિકને ઔષધદાનાદિ, આદિશદથી તેના શરીરની સારસંભાળ, શુશ્રષા, તેના આત્માને સમાધિ થાય, તેવાં કારણો જવાં. તથા જિનેશ્વરાદિકની મૂર્તિઓની નિર્મલતા થાય, તેવાં વિધાનો કરવાં. આ જાતિસ્મરણ થવાના હેતુઓ જણાવ્યા. વળી બીજા સ્થાને આ કારણે જુદાં મળે છે, તે આ પ્રમાણે-બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, સઢેદનું અધ્યયન, વિદ્યા-મંત્રવિશેષથી, સારાં સારાં તીથની આરાધના કરવાથી, માતા-પિતાની સુંદર સેવા–ભક્તિ કરવાથી, ગ્લાનને ઔષધ-દાન આપવાથી, દેવાદિક પ્રતિમાની નિર્મલતા કરવાથી મનુષ્ય જાતિ મરણવાળે થાય છે.” તે કુરુચંદ્ર રાજા નરકમાંથી બહાર નીકળ્યા પછી સાકેતપુરમાં મહેન્દ્ર નામના મોટા રાજાની મહિમા નામની પત્નીની કુક્ષિમાં “સમુદ્રદેવ” નામવાળો પુત્ર થયો. જ્યારે તે યૌવનવય પામ્યા, ત્યારે મંત્રી આદિ રાજ પરિવારને દેખવાથી પૂર્વભવમાં દેખેલે રાજ પરિવાર અહિં અત્યારે યાદ આવ્ય-અર્થાત્ પૂર્વભવ-વિષયક જાતિસ્મરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652