Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 593
________________ ૫૫૦ ] ઉપદેશપદ-અનુવાદ નથી. માતા-પિતાને ચિંતા થઈ કે, “આ લગ્ન કરતી નથી, તે હવે શું કરવું?” રાજાએ મંત્રીને કહ્યું કે, “તે કેઈ ઉપાય કરે કે, આ કન્યા કોઈ રાજકુમાર સાથે જલ્દી વરી જાય, ત્યાર પછી મંત્રી પણ તેના વરની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરવા લાગ્યા અને ચારે દિશામાં રાજ કુંવરેનાં પ્રતિબિંબ લાવવા તેવા ગ્ય સેવકોને મોકલ્યા. રાજપુત્રનાં નામ, કુલ, ગુણ અને રૂપ જાણવામાં આવે, તો કઈ પ્રકારે રાજકન્યાને અનુરાગ થાય. ઉંચા પ્રકારની અનેક કળાઓ, ગુણે, રૂપ નિર્મલ શીલવાળા સર્વે રાજપુત્રોનાં પ્રતિબિબ તેને બતાવ્યાં. (૪૦) એમ દેખતાં દેખતાં નિધિકુંડલનું પ્રતિબિંબ જોતાંની સાથે જ એકદમ તેનાં સર્વ ગાત્રોમાં રોમાંચ ઉલ્લસિત થયાં અને જાણે ખંભિત થઈ હોય, તેમ તેની દષ્ટિ ત્યાં સ્થિર બની ગઈ. એકી નજરથી તેને જોતી હતી, ત્યારે તેના મનમાં એક જાતને રણકે થયો અને તે વખતે તેને સમગ્ર ભવન શૂન્ય જણાવા લાગ્યું. તેના દેહમાં તે સમયે કામદેવના વિકારને તેવો કઈ તાપ વૃદ્ધિ પામવા લાગ્યો કે, જે ઠંડાં ચંદ્રનાં કિરણે, ચંદનરસ, કમળપત્રથી પણ અસાધ્ય હતે. આ બાજુ કોઈક સમયે નિધિકુંડલે સ્વપ્નાવસરે યથાર્થ તેનું રૂપ દેખ્યું અને તરત જ જાગી ગયો. ફરી પણ કુમાર તેને દેખવાની ઉત્સુકતાવાળે થયે, તેને ક્યાંય પણ ન દેખતો વિરહાગ્નિથી બની રહેલે ક્યાંય પણ ધૃતિ પામતું નથી. આ સ્થિતિમાં રહેલો હતો, એટલે પિતાને સ્વપ્નના બનાવની ખબર પડી. તરત જ દરેક દિશામાં તેવા ચરપુરુષોને મોકલીને રાજપુત્રીઓનાં પ્રતિબિંબ મંગાવ્યાં. તે દેખતાં જ્યાં પુરંદરયશાનું પ્રતિબિંબ દેખ્યું, એટલે તે પણ તેના સરખે વિરહાગ્નિથી બળવા લાગ્યો. તે રાજપુત્રી વિષયક કુમારને અનુરાગ જાણીને મંત્રી જાતે ત્યાં ગયા અને ઘણા સ્નેહગર્ભિત વચનથી તેની માગણી કરી. પિતાની કૃપાથી પુરંદરયશા સાથે વિવાહ કર્યો. હવે નિધિકુંડલે પિતાના નગરથી તેની સાથે વિવાહ કરવા માટે મોટી વિભૂતિ સહિત શ્રાવસ્તી નગરી તરફ પ્રયાણ કર્યું. એટલામાં કેટલાક માગ કાપ્યો અને એક અરણ્યમાં પડાવ નાખ્યો. ત્યાર પછી ઘોડાએ કુમારનું અપહરણ કર્યું. (૧૦) હવે મંત્રસાધના કરવા માટે પુરંદરયશાને પોતાના સ્થાનેથી અપહરણ કરીને તેનો ઘાત કરવા માટે મંડલની અંદર બેસાડી, કોઈક કાપાલિક સાધુ ભયંકર ડમરૂકના શબ્દને કરતો હતો. તે વખતે કુમાર આગળ જોયેલ પ્રતિબિંબ સરખી આ કુમારીને દેખીને વિચારવા લાગ્યો કે, “શું આ મારી પ્રિયા હશે કે ? અથવા તે તેની હાજરી અહિં ક્યાંથી હોઈ શકે? અથવા દેવની ગતિ વિચિત્ર છે, તેથી કરીને શું ન સંભવી શકે? અથવા તે જે કઈ હોય, તેનું રક્ષણ કરનાર થાઉં. અતિદુષ્ટ ચિત્તવાળા આ રાક્ષસ સરખી ચેષ્ટા કરનારાથી મારે તેને છોડાવવી જોઈએ.' ત્યાર પછી મોટે હાકોટો કરીને અરણ્યસ્થાનને બહેરું કરી નાખ્યું અને કુમારે તેને કહ્યું કે-“અરે! અનાર્ય–ચેષ્ટા કરનારા! આ શું પાપ વ્યવસાય કરો છો ? કુમારે તલવાર ઉગામી, એટલે કાપાલિકે જાણ્યું કે, “નક્કી આપણે ઘાત કરશે.' મૃત્યુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652