Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 630
________________ વીરાંગદ અને સુમિત્રની કથા [ ૫૮૭ અંજનથી સુમિત્રે તેની આંખ આંજી, એટલે તરત સ્વાભાવિક રૂપવાળી તરુણ સુંદરીઓ બની ગઈ. “તમને કુશલ છે?” એ પ્રશ્ન સ્નેહ-પૂર્વક તેમને પૂછતાં, તેઓએ કહ્યું કે, “તમારા પ્રભાવથી અત્યારે કુશલ છે.” ન સંભવી શકે તેવો આ તમારો શ વૃત્તાન્ત છે?—એમ પૂછયું, ત્યારે પિતાને વૃત્તાન્ત જણાવ્યું. તે આ પ્રમાણે– અહિંથી ઉત્તર દિશા-વિભાગમાં ગંગા નામની મહાનદીના સામા કિનારા પર જેમાં સમગ્ર કલ્યાણ સ્થાપન થયેલાં છે, એવા સુભદ્ર નામના નગરમાં અનિંદિત કાર્ય કરનાર એવા ગંગાદિત્ય નામના પ્રધાન શેઠ છે. તેમને સમગ્ર કુલાંગનાઓના ગુણેના આધારભૂત વસુધારા નામની પત્ની છે. તે ભાર્યાએ સમગ્રગુણયુક્ત આઠ પુત્રને જન્મ આપ્યા પછી તેના ઉપર જયા અને વિજયા નામની અમે બે સાથે જમેલી પુત્રીઓ તરીકે જન્મી હતી. માતા-પિતાના મનોરથ સહિત વૃદ્ધિ પામતી એવી અમે બંને યૌવન–નરેન્દ્રની રાજધાની સમાન તારુણ્ય પામી. ત્યાં ગંગા નદી નજીકના વનખંડમાં ઘણા લોકોને માન્ય મધુરભાષી કથાઓ, પ્રબંધ, આખ્યાને કહેવામાં ચતુર, કંઈક નિમિત્ત-વિદ્યામાં કુશલ, પિતાની ક્રિયાઓમાં પરાયણ રહેત, દર્શનીય, મધ્યસ્થભાવ પ્રકાશિત કરતે, સુશર્મા નામને એક પરિવ્રાજક હતે. એક વખતે અમારા પિતાએ તેને ભોજન માટે બોલાવ્યો. ગૌરવપૂર્વક ચરણાદિકનું શૌચ કરી ભોજન માટે આસન ઉપર બેસાડ્યા. શાલિ, ક્ષીર, કુરાદિક સુંદર ભજન-સામગ્રીઓ પીરસી. તે સમયે અમારા પિતાજીની આજ્ઞાથી અમે પવન નાખવા માટે વીજણો–પંખ નાખવાનું કાર્ય કરવા લાગી. તે વખતે તે પરિવ્રાજક અમારું રૂપ નીરખતો હતો અને આ અયુક્ત કાર્ય કરનાર છે–એમ ધારી કે પાયમાન થયેલા કામદેવે સર્વ બાણોથી તેને વીંધી નાખ્યું. ત્યાર પછી પરિવ્રાજક ચિંતવવા લાગ્યું કે, “વ્રતનું પાખંડ બળીને ભસ્મ થાઓ, ધ્યાન-ગ્રહ ધિક્કાર પામો, શિવપુરી ક્ષય પામે. વૈકુંઠ અને સ્વર્ગમાં વજ પડે, જો આવી તરુણીઓ સાથે રતિસુખ ન મણાય, તે નક્કી મારા આત્મામાં અને મડદામાં તફાવત નથી.” તથા “જે અપ્સરાઓ સાથે બ્રહ્મા, ગંગા અને ગૌરી સાથે મહાદેવ, ગોવાલણે સાથે કૃષ્ણજી ક્ષોભ પામ્યા, તો પછી મારે વ્રતનું અભિમાન શા માટે રાખવું ?” આવા આવા મનમાં સંક૯પ-વિક૯પ કરતે, તથા આ પ્રિયાએનો લાભ કેવી રીતે થાય ? તેના ઉપાયો વિચારતો ભોજનની અવજ્ઞા કરીને જાણે કંઈક બ્રહ્મનું ધ્યાન કરતો હોય, તેમ રહ્યો. ઉત્સુક થએલા શેઠે કહ્યું કે, “હવે ધ્યાનમાગ બંધ કરીને ભજન કરે. ઠંડું ભોજન ખાવાથી સુખેથી પરિણમી શકતું નથી, પાચન થતું નથી. ફરી ફરી તેને કહ્યું, ત્યારે આવા દુઃખીને આવા પ્રકારના ભોજનથી સર્ફ -એમ બોલીને પરિવ્રાજકે કેટલાક કોળિયા ગ્રહણ કર્યા. ભોજન કરી રહ્યા પછી શેઠે મહર્ષિને પૂછયું કે, “તમે આટલા દુઃખી કેમ છે ?” પિતાનો અત્યંત આગ્રહ થવાથી તેણે કહ્યું કે, “જે કે, અમે તે સંસારના સંગનો ત્યાગ કરે છે, પરંતુ તમારા સરખા ભક્તજન હોય કે સજજન હોય, તેમને સંગ કે પક્ષપાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652