Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
જિનપૂજાનાં શુભ ફલે
[ ૫૫૩
પામેલા જાણીને લજજા પામવા લાગ્યા. અત્યારે પરાક્રમ કરવાથી સયું. આની શોધ પ્રયત્નથી કરવી જોઈએ, નહિંતર ચંદ્ર-સૂર્ય હશે ત્યાં સુધી, આપણું નબળાઈની કથા દૂર નહિ થાય. જ્યોતિષવિદ્યા જાણનાર રાજપુત્રે કહ્યું કે, “ આવા લગ્નમાં અપહરણ થયું છે, જેથી અક્ષતપણે તેનો સમાગમ થશે.” બીજાએ વળી તરત જ આકાશમાં ગમન કરી શકે તેવું વિમાન ઘડીને તૈયાર કર્યું. તિષીએ કહેલા માર્ગે લલિતાંગકુમાર વિમાનમાં બેસીને હિમવંત પર્વતના શિખર ઉપર પહોંચ્યું કે, જ્યાં પેલે ખેચર તેના ચરણ-કમળમાં ભમરા માફક સુકોમલ વાણીથી કરગરવા લાગ્યું અને કોઈ પ્રકારે મારા પર પ્રસન્ન કેમ થાય ?' તેવી સ્થિતિમાં તે જોવામાં આવ્યું. (૧૦૦)
તે આ પ્રમાણે દીનતા થી તેને પ્રાર્થના કરવા લાગે કે-“હે સુંદરિ! તું મારી અવજ્ઞા ન કર. તે મને પ્રભાવિત ર્યો છે, આ દુઃખે કરીને નિવારણ કરી શકાય તેવા કામદેવથી હણું છું, આ દુઃખથી ક્ષણવાર પણ હવે જીવવા સમર્થ નથી.” ત્યાર પછી લલિતાંગ કુમાર પોતાના મનમાં પ્રલયાનલ સરખા પ્રચંડ કેપને વહન કરતો કઠેર શબ્દોથી આ પ્રમાણે તિરસ્કાર કરવા લાગ્યું કે, “અરે ! તું નિર્મલ કલનો જણાતો નથી, નહિતર આ પ્રમાણે પારકી સ્ત્રીનું અપહરણ કરે નહિ. તાર' મુખ જેવામાં પણ પાપ છે, તું દેખવા લાયક નથી.” તીવ્રરોષવાળે તે ખેચર પણ તરવાર ગ્રહણ કરીને એકદમ સામે દેડ્યો અને આકાશમાં જાણે વિજળીદંડથી પ્રકાશિત મેઘ હોય, તે તે જણાવા લાગ્યો. એટલામાં પરાક્રમના પ્રકર્ષથી તેને પ્રહાર આવી પહોંચ્યા, એટલે આપણે પણ એકદમ પ્રચંડ ધનુષદંડ ખેંચ્યું. છેક કાન સુધી ખેંચેલ યમરાજાની જીભ સમાન ચેરના પ્રાણને હરણ કરનાર એવું બાણ કુમારે છેડયું, તે બાણથી આ ખેચર હદયના મર્મસ્થાનમાં એ વિંધાયો છે, જેથી બાણની સાથે તેની મિત્રતા વહન કરતા હોય, તેમ દેહમાંથી પ્રાણ નીકળી ગયા. ત્યાર પછી વિકસિત કમલ-સમાન મુખવાળી તે રાજકન્યા વિમાનમાં આરૂઢ થઈ અને તેને પિતાની પાસે લાવ્યા, એટલે તેઓને ઘણે અંતેષ થયે.
- હવે રાત્રે કોઈ પ્રકારે સુખેથી સૂઈ ગયા પછી રાજકન્યાના મસ્તકમાં ઉગ્રઝેરવાળા સર્પે ડંખ માર્યો, તેથી તે ક્ષણે નજીક રહેલે સર્વ પરિવારવર્ગ આકુળ-વ્યાકુળ બની ગયો અને મંત્ર, તંત્ર, મહાઔષધિઓ વિવિધ પ્રકારના બીજા ઉપાયે કર્યા, તે પણ થોડો ફેર પડ્યો નહિં. એટલે ચોથો ગારુડિક વિદ્યા જાણનાર રાજપુત્ર હતો, તેણે મંત્ર, તંત્ર વગેરે ઉપચાર કરીને તેને ફરી સાજી કરી. આ સમયે તેઓ ચારે વચ્ચે વિવાહવિષયક વિવાદ ઉત્પન્ન થશે. કારણ કે, સર્વેએ તેને બચાવવા માટે ઉપાય કર્યા હતા અને પાછી મેળવી હતી, તથા જીવતી કરી હતી. માટે સર્વે તેના સ્વામી થવા ચાહતા હતા. તે સમયે કુમારીના માતા-પિતા અત્યંત આકુલ મનવાળાં બન્યાં અને ચિંતવવા લાગ્યાં કે, એક સાથે ચાર વર તૈયાર થયા છે, તે હવે આ કોને આપવી ? ઉમાયતી રાજપુત્રીએ પિતાને કહ્યું કે, “તમે ચિંતા ન કરશે, હે પિતાજી! આ ઝગડાનો નીકાલ ૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652