Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 553
________________ ૫૧૦ ] ઉપદેશપદ-અનુવાદ તેમની સાથે બહારથી અનુસરણ કરવાથી તેમના આત્મામાં બહુમાન ઉત્પન્ન કર્યું અને કયારેક રાજ તરફથી કે બીજા આપત્તિકાળમાં અગર દુષ્કાળ સમયમાં સહાય કરનારા થાય. (૮૪૦) આથી વિપરીત રીતે વર્તન કરવાનું નુકશાન કહે છે – ૮૪૧–જે તેઓને અનુસરવામાં ન આવે. તેની અનુકૂળતા પ્રમાણે વાસ કરવામાં ન આવે, તે પિતાને અને બીજાને ઉપઘાત-નુકશાન થવાનો વારો આવે છે. કેવી રીતે ? તે દર્શાવે છે–પરરાજ્યના જાસુસ છે, ચોરી કરનારા છે–એવા આરોપથી તે સ્થાનમાં લેભ ઉત્પન્ન થાય છે. આદિશબ્દથી કોઈ પ્રકારે કોઈને પ્રમાદથી અપરાધ બની ગયો હોય, તે ઈર્ષાની અધિકતાના કારણે દૂર દૂર સુધી તેની અપકીર્તિ ફેલાવે છે તેવા પ્રકારના દાતારના કુલેમાં ભંભેરણી કરી આહાર-પાણી દેતાં અટકાવે છે. તે કારણે તે લોકો આપણું લઘુતા કરી આપણી તરફ અનાદરભાવવાળા બને છે, તેથી તેમને પાપબંધ, બોધિનો નાશ થવા રૂ૫ ફળ પ્રાપ્ત થાય છે. એમ થવાથી બંનેની દુર્ગતિ થાય છે. માટે બંનેનું અનિષ્ટ ફલ ટાળવા માટે જયણાથી તેમનું અનુસરણ કરવું. (૮૪૧) ૮૨–જે કારણુથી અગીતાર્થ આદિકને અનુસરવાથી દોષ છે, તે કારણથી કાયા અને વચનની પ્રવૃત્તિ કરવારૂપ દ્રવ્યથી તે અગીતાર્થ આદિકનું રાગ-દ્વેષ-રહિતપણે– મધ્યસ્થ-સમતાભાવથી મનમાં તો ક્યારે તેવો સમય પ્રાપ્ત થાય કે, મને અનુકૂલ ભાવને નિર્દોષ ચારિત્ર-પાલનને એગ્ય અવસર ક્ષેત્રાદિ પ્રાપ્ત થાય, તે પ્રમાણે ભાવી કલ્યાણ–બુદ્ધિની રાહ જોતે, વર્તમાનમાં સંયમ ટકાવવા માટે અગીતાર્યાદિકનો સહારો લેવા માટે તેમની સાથે કંઈક બેલવા-ચાલવાને વ્યવહાર સાચવવો પડે, પરંતુ બહુમાનવાળા ભાવથી વ્યવહાર ન રાખે. કળાઓ તેમની પાસેથી મેળવવી હોય, અપૂર્વ અધ્યયનને અભ્યાસ ગ્રહણ કરવાનો હોય, તે તેમને વન્દના-વિષયક અપવાદ સેવવાને જણાવેલ છે. તે આ પ્રમાણે–પરિવાર, પર્ષદા, પુરુષ, ક્ષેત્ર, કાલ, આગમ જાણીને કારણે ઉત્પન્ન થાય, ત્યારે જેને જે એગ્ય હોય તે પ્રસંગોપાત્ત વ્યવહાર કરવો પડે. તે અગીતાર્થને સાધુ-પરિવાર સુવિહિત કિયાવાળો હોય, તે પર્ષદામાં, વૈરાગ્યવાળી દેશના આપતા હેય અને વૈરાગ્ય ઉત્પન્ન કરતો હોય, પુરુષ માની, ભયંકર સ્વભાવનો હેય, નિર્દય કે અધમ પુરુષ હોય, લોકોના કહેવા પ્રમાણે કરનારો રાજા હોય. અથવા રાજા, પ્રધાન, નેતા એવો કોઈ દીક્ષિત થયેલો હોય, વિધિ આદિથી અભાવિત ક્ષેત્ર હોય, એટલે કે– પ્લાન, બાળ કે જંગલ વટાવવાના સમયે અપવાદાદિ સેવન કરવા પડે, ત્યારે તેને વિધિ-વ્યવસ્થાદિક કરવામાં અભાવિત હોય, અનાક(કુ)લ કાલ હોય. જિનેશ્વરે પ્રરૂપેલાં એવાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય વગેરે જ્યાં જેટલાં જેની પાસે હોય, ત્યાં તેની તેટલા ભાવથી ભક્તિથી પૂજા કરવી. તે રૂપ ભાવ. ગચ્છના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652