SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ ] ઉપદેશપદ-અનુવાદ તેમની સાથે બહારથી અનુસરણ કરવાથી તેમના આત્મામાં બહુમાન ઉત્પન્ન કર્યું અને કયારેક રાજ તરફથી કે બીજા આપત્તિકાળમાં અગર દુષ્કાળ સમયમાં સહાય કરનારા થાય. (૮૪૦) આથી વિપરીત રીતે વર્તન કરવાનું નુકશાન કહે છે – ૮૪૧–જે તેઓને અનુસરવામાં ન આવે. તેની અનુકૂળતા પ્રમાણે વાસ કરવામાં ન આવે, તે પિતાને અને બીજાને ઉપઘાત-નુકશાન થવાનો વારો આવે છે. કેવી રીતે ? તે દર્શાવે છે–પરરાજ્યના જાસુસ છે, ચોરી કરનારા છે–એવા આરોપથી તે સ્થાનમાં લેભ ઉત્પન્ન થાય છે. આદિશબ્દથી કોઈ પ્રકારે કોઈને પ્રમાદથી અપરાધ બની ગયો હોય, તે ઈર્ષાની અધિકતાના કારણે દૂર દૂર સુધી તેની અપકીર્તિ ફેલાવે છે તેવા પ્રકારના દાતારના કુલેમાં ભંભેરણી કરી આહાર-પાણી દેતાં અટકાવે છે. તે કારણે તે લોકો આપણું લઘુતા કરી આપણી તરફ અનાદરભાવવાળા બને છે, તેથી તેમને પાપબંધ, બોધિનો નાશ થવા રૂ૫ ફળ પ્રાપ્ત થાય છે. એમ થવાથી બંનેની દુર્ગતિ થાય છે. માટે બંનેનું અનિષ્ટ ફલ ટાળવા માટે જયણાથી તેમનું અનુસરણ કરવું. (૮૪૧) ૮૨–જે કારણુથી અગીતાર્થ આદિકને અનુસરવાથી દોષ છે, તે કારણથી કાયા અને વચનની પ્રવૃત્તિ કરવારૂપ દ્રવ્યથી તે અગીતાર્થ આદિકનું રાગ-દ્વેષ-રહિતપણે– મધ્યસ્થ-સમતાભાવથી મનમાં તો ક્યારે તેવો સમય પ્રાપ્ત થાય કે, મને અનુકૂલ ભાવને નિર્દોષ ચારિત્ર-પાલનને એગ્ય અવસર ક્ષેત્રાદિ પ્રાપ્ત થાય, તે પ્રમાણે ભાવી કલ્યાણ–બુદ્ધિની રાહ જોતે, વર્તમાનમાં સંયમ ટકાવવા માટે અગીતાર્યાદિકનો સહારો લેવા માટે તેમની સાથે કંઈક બેલવા-ચાલવાને વ્યવહાર સાચવવો પડે, પરંતુ બહુમાનવાળા ભાવથી વ્યવહાર ન રાખે. કળાઓ તેમની પાસેથી મેળવવી હોય, અપૂર્વ અધ્યયનને અભ્યાસ ગ્રહણ કરવાનો હોય, તે તેમને વન્દના-વિષયક અપવાદ સેવવાને જણાવેલ છે. તે આ પ્રમાણે–પરિવાર, પર્ષદા, પુરુષ, ક્ષેત્ર, કાલ, આગમ જાણીને કારણે ઉત્પન્ન થાય, ત્યારે જેને જે એગ્ય હોય તે પ્રસંગોપાત્ત વ્યવહાર કરવો પડે. તે અગીતાર્થને સાધુ-પરિવાર સુવિહિત કિયાવાળો હોય, તે પર્ષદામાં, વૈરાગ્યવાળી દેશના આપતા હેય અને વૈરાગ્ય ઉત્પન્ન કરતો હોય, પુરુષ માની, ભયંકર સ્વભાવનો હેય, નિર્દય કે અધમ પુરુષ હોય, લોકોના કહેવા પ્રમાણે કરનારો રાજા હોય. અથવા રાજા, પ્રધાન, નેતા એવો કોઈ દીક્ષિત થયેલો હોય, વિધિ આદિથી અભાવિત ક્ષેત્ર હોય, એટલે કે– પ્લાન, બાળ કે જંગલ વટાવવાના સમયે અપવાદાદિ સેવન કરવા પડે, ત્યારે તેને વિધિ-વ્યવસ્થાદિક કરવામાં અભાવિત હોય, અનાક(કુ)લ કાલ હોય. જિનેશ્વરે પ્રરૂપેલાં એવાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય વગેરે જ્યાં જેટલાં જેની પાસે હોય, ત્યાં તેની તેટલા ભાવથી ભક્તિથી પૂજા કરવી. તે રૂપ ભાવ. ગચ્છના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy