SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંડાઓ સાથે વર્તન [ ૫૧૧ O : રક્ષણ માટે ભવિષ્યકાળમાં જરૂર પડે તેવા કુશળ અાયુર્વેદ જાણકાર અથવા તો ભવિષ્યનો કાળ જાણવામાં કુશળ એવા આચાર્ય સુખે શીલ-સંયમનું પાલન થાય, તેવી રીતે સર્વ ગવેષણાઓ કરવી જોઈએ. કારણ ઉત્પન્ન થાય, ત્યારે જે બંને પ્રકારનાં કૃતિકર્મ-વંદન પાસસ્થાદિકને ન કરે, તો તેને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્તની આરોપણ કહેલી છે. (૮૪૨) આ વિષયનું દષ્ટાંત કહેવાની ઇચ્છાવાળા કહે છે – ૮૪૩–અહિં જે આગળ કહીશું, તે અગીતાર્થની અનુવૃત્તિ-અનુસરવારૂપ યુતિ યુક્ત ઉદાહરણ કહીશું, તે ચાલુ વાતને બરાબર બંધ બેસતું થશે તે જ કહે છે–સુબુદ્ધિ નામના મંત્રીની બુદ્ધિથી રાજા ગાંડો ન હતો, પણ બહારથી ગાંડ બની ગયે, પણ અંદરથી તે ડાહ્યો હતો-એવો કેઈક રાજા રાજ્યથી ભ્રષ્ટ ન થા. (૮૪૩) ચાર ગાથાથી આ દષ્ટાંત વિસ્તારથી કહેવાય છે. ૮૪૪ થી ૮૪૭–પૃથ્વીપુર નામના નગરમાં પૂર્ણ નામના રાજા અને સુબુદ્ધિ નામનો મંત્રી હતા. કોઇક ભવિષ્યવેત્તાને ભાવિકાળનું જ્ઞાન થયું કે, આ મહિના પછી વરસાદ વરસશે, તેનું જળપાન કરવાથી લોકોને ગાંડપણ ઉત્પન્ન થશે. રાજા પાસે હકીકત નિવેદન કરી. રાજાએ લોકોને પડતથી જાહેર કર્યું કે, “ એ પિતાના સાધન પ્રમાણે જળ સંગ્રહ કરી લેવો.” એટલે સર્વે લોકોએ તે પ્રમાણે કર્યું. કહેલ સમયે વરસાદ પડ્યો. લોકોએ તેનું પાન ન કર્યું. સંગ્રહ કરેલું જળ જેનું વહેલું ખલાસ થયું, તેઓ નવીન વરસાદનું પાણી પીવા લાગ્યા. ઘણા લોકોએ તે જળપાન કર્યું, એટલે મોટો વર્ગ ઉન્માદી બની ગયો. સામંતાદિક લોકોએ ઘણું જળ સંગ્રહેલું હતું, છતાં તે પણ વપરાઈ ગયું, એટલે ન છૂટકે આ દ્રષિત વૃષ્ટિજળ પીવાનો પ્રસંગે ઉપસ્થિત થયો. તેઓએ પણ તે જળપાન કર્યું. હવે જુનું જળ તો માત્ર રાજા પાસે હતું, બીજા કોઈ પાસે ન હતું. એટલે એકલો રાજા સર્વે કરતાં વર્તનમાં જુદો પડી ગયો. તે તે ડાહ્યાપણાની જ ચેષ્ટા કરતો હતો. પેલા સર્વે લોકો તથા સામંતોને રાજાની ચેષ્ટા પિતા કરતાં ભિન્ન દેખાઈ, પિતાના સમાન રાજા વર્તન કરતો નથી, એ ટલે કે ઈ પણ રાજાની ચેષ્ટા આપણી સાથે મેળ ખાતી નથી. એટલે સામંતો અને લોકોએ મંત્રણા કરી કે, આ રાજા આપણે છીએ, તે રાજ્યસુખનો અનુભવ કરે છે. આપણા મતને ન અનુસરનાર કેટલો લાંબો કાળ તે રાજ્ય કરી શકશે? માટે પકડીને તેને બાંધો.” એમ મંત્રણા કરતા તેમને સાંભળીને મંત્રીની બુદ્ધિમાં જ્ઞાન થયું. ત્યાર પછી (ગ્રંથા ૧૨૦૦૦) મંત્રીએ રાજાને સલાહ આપી કે, રાજ્ય જીવિતના રક્ષણનો એક જ ઉપાય છે કે, આ સર્વે ગાંડાઓને આપણે અત્યારે અનુસરી લેવું. એટલે જુનું જળપાન કરી કૃત્રિમ ગાંડપણ કરવા લાગ્યા. રાજા તેઓ સાથે ભળી ગયે. એટલે પેલા સર્વેને થયું કે, ગાંડ નથી, પણ આપણા જે ડાહ્યો જ છે. આથી તેઓ સર્વે સંતોષ પામ્યા. રાજ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy