SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ ] ઉપદેશપદ-અનુવાદ સ્થિતિ પૂર્વ માફક નિશ્ચલ ટકી રહી. સમયે ફરી સારી વૃષ્ટિ થઈ, એટલે સર્વ નિરુપ દ્રવતા પામ્યા. (૮૪૭) ૮૪૮-આ ઉદાહરણમાં આત્મા રાજારૂપ સમજ. રાજા સમાન આત્મા, સુબુદ્ધિ રૂપી મંત્રી એ શાસ્ત્રાનુસારી બુદ્ધિ એ જ મંત્રીએ આ દુઃષમાં કાળમાં શાસ્ત્રબાધિત બધ-લક્ષણ જે કુગ્રહ, જળપાન કરવાથી ઉત્પન્ન થયેલ ગાંડપણ, તેનાથી આ આત્મારૂપ રાજાનું રક્ષણ કરવું. (૮૪૮) માટે કહે છે – ૮૪૯–વિપરીત પદાર્થના અતિશય આગ્રહ રાખવા રૂપ ઘણા કુહ-મિથ્યાત્વની માન્યતાઓ જેને હોય, તેવા લોકો વર્તમાનકાળમાં ઘણા હોય છે, પરંતુ તેને ઉપયોગ કર્યા વગર–જે તે કુગ્રહવાળા હોય, તેને બહારથી અનુસરીને. કેવી રીતે? તો કે, આગળ કહ્યા તેવા રાજા અને મંત્રીની જેમ પરિપૂર્ણ સાધુધર્મ સાધવાની ઈચ્છારૂપ સર્વ સાવધ-વિરતિ લક્ષણ ધર્મરાજ્ય વિષે આત્માને સ્થાપન કરીને તેનું રક્ષણ કરવું. સુષમા-દુઃષમાદિ લક્ષણ શુભ કાળ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય. સુષ્ટિ સમાન શુદ્ધ સાધુધર્મ આરાધના લાયક સુક્ષેત્ર અને સુકાળ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તેવા ક્ષેત્ર-કાળની મનમાં રાહ જોતાં રહેવું અને આત્માને કઈ પ્રકારે અસંયમથી બચાવી લેવો. (૮૪૯) આને રક્ષણનો ઉપાય બતાવે છે– ૮૫૦–પૂર્વે જણાવેલા આજ્ઞાન આરાધનપૂર્વક જ આત્માનું રક્ષણ કરવું, પરંતુ મિથ્યાચાર પરિપાલન કે મંત્ર, મણિ, ઔષધાદિના ઉપયોગથી રક્ષણ ન કરવું. તેમ કરીને રક્ષણ કર્યું, પરંતુ આજ્ઞારાધના ન કરી. તે નરકાદિક દુર્ગતિમાં પડવાને સંભવ થાય, એટલે રક્ષણ કરેલું વ્યર્થ ગયું ગણાય. માટે આજ્ઞાગમાં આદર કર. તેમાં પણ અતિપરિશુદ્ધ ઉત્સગ કે અપવાદ રૂપે આજ્ઞાગમાં પ્રયત્ન કરવો. (૮૫૦) પરિશુદ્ધ આજ્ઞાગને ઉપાય કહે છે– ૮૫૧–આગળ લક્ષણ જણાવીશું, તેવી વ્યાખ્યાવાળા તીર્થમાં વિનયાદિક વિધિથી જ સૂત્ર અને અર્થ ગ્રહણ કરવા. વ્યાખ્યા કરનાર ગુરુ એ સૂત્ર અને અર્થ બંનેના જાણકાર હોય. વિનયાદિકરૂપ સૂત્ર-અર્થ ગ્રહણ કરવાનો વિધિ અનેક પ્રકાર છે. અહિં વિનય, કાયા, વચન અને માનસિક એમ ત્રણ પ્રકારનો જણવેલો છે. આદિશબ્દથી વાચના લેવાનું સ્થળ વાચના-માંડલીની પ્રમાર્જના, ગુરુ આસન પાથરવું, સ્થાપનાચાર્ય વચ્ચે સ્થાપન કરવા વગેરે પણ વિનયવિધિમાં આવી જાય. ૮૫૧ મી ગાથાના ઉત્તરાર્ધમાં વિવરણના આધારે આ પદ હોવું જરૂરી છે– ૩મયorg વેવ નુક, વિચિ-વિચારૂગોવિત્તો ' (૮૫૧) હવે ગુરુનું વિશેષ સ્વરૂપ ૮૫ર –સૂત્ર, અર્થ બંનેના જાણકાર એવા ગુરુ મૂલગુણે, ઉત્તરગુણની આરાધનામાં ખડે પગે તૈયાર હોય, વળી જિનવચન-પ્રવચન–શાસન પ્રત્યે અતિ બહુમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy