Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શંખ-કલાવતીની કથા
[ ૪૮૯
સંગમ થવા યોગે તે દિવસોમાં ભવન અમૃતમય બની ગયું. આ પ્રમાણે બાર દિવસો ગયા પછી સ્વજનો, કુટુંબીઓ અને બંધુઓએ એકઠા મળી બાળકનું નામ શું સ્થાપના કરવું? તે વિચારતાં એવો નિર્ણય કર્યો કે- આ પૂર્ણ પુષ્યવાળે છે. માતા-પિતાને જીવનગુણ આપેલ હેવાથી, વળી માતાએ કળશનું સ્વમ દેખેલ હતું, આ કારણથી તેનું “પૂર્ણકલશ” એમ નામ રાખવું.
શાસ્ત્રમાં કહેલ વિધિથી રાજાએ જિનમંદિર કરાવ્યું. દેવ-ગુરુની ઉત્તમ પ્રકારની ભક્તિ કરતાં તેઓ ધર્મનું શ્રવણુ તથા શ્રાવકજન-ઉચિત આચારનું પાલન કરતા હતા. આ પ્રમાણે શંખ અને કલાવતી બંનેને ધર્મપાલન કરતાં ઘણો સમય પસાર થયો. હવે પૂર્ણ કલશ કુમાર રાજ્યધુરા વહન કરવા સમર્થ બન્યું, એટલે તેને રાજ્યાભિષેક કરીને તેઓ બંને પ્રત્રજ્યા અંગીકાર કરવા તૈયાર થયા. તે સમયે તેમના પુણ્યપ્રભાવથી નગર બહાર ઉદ્યાનમાં ઘણું સાધુના પરિવાર સહિત “અમિતતેજ” આચાર્ય પધાર્યા. એ સમાચાર સાંભળી સુંદર ભક્તિવાળા સમગ્ર સૈન્ય પરિવાર-સહિત લોકોએ જેને માર્ગ રોકેલ છે, ચારિત્ર ગ્રહણ કરવા સજજ બનેલ મુક્તિગામી રાજા પોતાની કલાવતી ભાયંસહિત સગતિને ઉપદેશ આપનાર એવા આચાર્યની પાસે પહોંચ્યા. વિધિસહિત અભિવંદન કરી રાજાએ આચાર્ય ભગવંતને વિનંતિ કરી કે, “હે ભગવંત ! ભયંકર ભવ-સમુદ્રમાં ડૂબતા એવા મને આપ ભવનો પાર પમાડો. હે ભગવંત! સારા પાટિયાયુક્ત, કર્ણધાર-સહિત, લેહના સંબંધ વગરનું, છિદ્ર વગરનું, શ્વેત વસાવાળા સયુક્ત, નિર્ભય નાવથી જેમ સમુદ્રની સામે પાર પહોંચી શકાય, તેમ દીક્ષારૂપ નાવ મને આપો, જેથી હું સંસારને પાર પામું. દીક્ષાપક્ષે–મનુષ્યભવના સાર કુલભૂત, સમજુ પુરુષને આધારભૂત, નિર્લોભતાના સંબંધવાળી, દુર્ગતિના ભય વગરની વેત વસ્ત્રોથી અધિષ્ઠિત, અતિચાર-રૂપ છિદ્ર વગરની દીક્ષા. (લેષાર્થ ગાથા છે–દીક્ષા અને નાવનું રૂપક કહેલું છે). - ત્યાર પછી ગુરુએ કહ્યું કે, “ભવસ્વરૂપ જાણેલું હોય, તેમના માટે એ જ યોગ્ય છે. કોણ પિતાના આત્માને બાળવા માટે સળગતા ઘરમાં પકડી રાખે? હે નરવર ! આ મનુષ્ય-જન્મનું અતુલ્ય ફળ તે પ્રાપ્ત કર્યું છે, અત્યંત દુર્લભ એવા ચારિત્રના પરિણામ તે પ્રાપ્ત કર્યા છે. અત્યારે સમગ્ર સંગને ત્યાગ કરનાર હોવાથી તે ત્યાગીઓમાં પ્રથમ છે, આ દુષ્કર સાહસ-રસથી શુરવીરોમાં પણ તું શુરવીર છે.” આ પ્રમાણે ઉપવૃંહણ પામેલા રાજાએ પોતાના પદ ઉપર પૂર્ણકલશા પુત્રને સ્થાપન કર્યો ત્યાર પછી મહાઆડંબર પૂર્વક ગુરુની પાસે વિધિથી દીક્ષા ગ્રહણ કરી. રાજ્ય મળવા કરતાં દીક્ષા–પ્રાપ્તિથી અધિક મહાહર્ષ સુખસાગર પામ્યો. હવે યતિધર્મના દરેક વિધામાં હંમેશાં તત્પર બન્યો. આ પ્રમાણે શંખરાજા રાજર્ષિ થયા. કાચિત સૂત્ર અને અર્થ ભણતા હતા, કાચિત ચરણ-કરણ-સિત્તરીનાં અનુષ્ઠાનોમાં તત્પર, કાચિત તપકમમાં નિરત અને કાચિત ઉગ્ર વિહાર કરનારા થયા. જો કે, દુષમકાળના દૃષથી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org