Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
અહં દત્ત-કથા
[ ૨૭૩
તપની આરાધના કરીને દેવ થયા. સમયે અધિજ્ઞાનના ઉપયેગ મૂક્યો, તે જાણ્યું કે અતિગાઢ મિથ્યાત્વના ઉદય છે, તેથી તેને હજી શ્રદ્ધા થતી નથી. જ્યાં સુધી પીડિત શરીરવાળા નહિં થાય, ત્યાં સુધી આ પ્રતિબેાધ પામવાના નથી. એમ વિચારીને દેવે તેના દેહમાં વ્યાધિ ઉત્પન્ન કર્યા. જેમાં વૈદ્યના ઉપાયા ન ચાલે, તેવા જલેાદર નામના અસાધ્ય પેટના વ્યાધિ ઉત્પન્ન કર્યા. તેને યંત્રમાં પીલાવા સરખી વેદના આખા શરીરમાં ઉત્પન્ન થઈ. પેાતાના જીવનથી ઉદ્વેગ પામ્યા અને અગ્નિપ્રવેશની અભિલાષા કરી, એટલામાં શખરનું રૂપ કરી તે દેવ ત્યાં આવ્યેા. ઉદ્ઘાષણા કરવા લાગ્યા કે, ગમે તેવા દરેક વ્યાધિએ મટાડનાર હું વૈદ્ય છું. વૈદ્યે આ અદ્ત્તને દેખ્યા અને કહ્યું કે, ‘ ઘણા ભયંકર વ્યાધિ થયેા છે. ઘણા કષ્ટથી તેની ચિકિત્સા કરવી પડશે. મને પણ પહેલાં આવા વ્યાધિ થયા હતા. સર્વ સગના ત્યાગ કરીને હું દરેક નગરમાં પરભ્રમણ કરુ છુ. આ રોગ મટાડવા માટે તું સ સંગને! ત્યાગ કરી મારી સાથે તુ ક્ તા તારા રોગ દૂર કરૂ’દુ:ખથી પીડા પામેલા તેણે તે સર્વ વાત કબૂલ કરી. તેને નગરચૌટામાં લઈ ગયે।. માતાના મદિરમાં બેસાડ્યો. દેવીની પૂજા કરાવી અને વ્યાધિ નીકળતા ખતાન્યેા. વેદના દૂર કરી. ક્ષણવારમાં તદ્દન નિરોગી ખની સ્વસ્થ થયા. દીક્ષા આપવા માટે તેણે મુનિનું રૂપ ગ્રહણ કર્યું. દિવ્ય રૂપ બનાવી મુનિની દીક્ષા આપી અને મુનેિએના આચાર ખતાન્યે. એમ કરી દેવ પેાતાના સ્થાનકે ગયા. ત્યાર પછી તે પણ પ્રત્રજ્યા છેાડી ઘરે ગયા અને પહેલાની જેમ ભાર્યાદિકને સ્વીકાર કર્યા, એટલે તે જ પ્રમાણે દેવે તેને વ્યાધિ ઉત્પન્ન કર્યાં. દુઃખ પામેલેા સ્વજનવગ તેને અતિશય વેદના પામે દેખીને શખરાકાર વૈદ્યને દેખીને તેને કહે છે કે, ‘આને નિરોગી કરે. ’ દેવ પણ તેને આગળ માફક કહે છે, પેલે પણ તે વાત સ્વીકારે છે. હવે પૃથ્વીમાં તારે મારી સાથે ભમવું પડશે. તે તે શરત કબૂલ કરી, ગાણુક નામના વૈદ્યનાં ઔષધે! અને સાધને ભરેલા કાથળે તેને ઉચકવા આપ્યા. સુપ્રસન્ન વદનથી આદર પૂર્વક તે ગ્રહણ કર્યા. જયારે ત્યાંથી પ્રયાણ કર્યું, ત્યારે તે દેવે તેને કહ્યું કે, ‘તારે હંમેશાં મારા સરખી ક્રિયાઓ કરવી. ’ હવે કાઈક સમયે ગામમાં જવાલા-સમૂહથી ભયંકર એવા અગ્નિ વિપુષ્યેા. એકદમ પીડાવાળા શેારખકાર થયા. વૈદ્ય તે એલવવા માટે એક માટા ઘાસના પૂળા હાથમાં લઈને તે તરફ જતા હતા, ત્યારે આ અત્તે તેને સમજાવ્યેા કે, · એલવવા માટે જળ-સંજોગ ઉચિત છે, તુ વળી આ પૂળા કેમ લઈ જાય છે? ’
~~~~
વૈઘ-આ જન્મ-જરા-મરણ સ્વભાવવાળા આ ભયંકર ભાણ્યમાં લીધેલાં વ્રતાના ત્યાગ કરીને ચાલ્યા જાય છે, તેા તું પણ સારા વર્તનવાળેા નથી. તે તે મૌન થયા. હવે વૈદ્ય માર્ગ છેડીને ઉન્માર્ગે ચાલવા લાગ્યા, એટલે તેને દેખીને તે (અદત્ત) કહેવા લાગ્યા કે, · સન્માર્ગ છેડીને ખેટા માર્ગ પકડ્યો ? ' મને લાગે છે કે, ‘તું માર્ગ ચૂકી ગયા છે. '
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org