Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૩૪૨ ]
ઉપદેશપદ– અનુવાદ
પ૨૧ થી પ૫–અહિં દક્ષિણ-મથુરા જે કાંચી તરીકે સર્વત્ર પ્રસિદ્ધ હતી. ત્યાં કેઈક દુર્જનોની એક ટેળી એકઠી થઈ હતી. સદાચારવાળે એક શ્રાવકપુત્ર તેમાં જોડાયો હતો. એ પ્રમાણે કાળ પસાર થતા હતા. કોઈક સમયે દક્ષિણ-મથુરામાંથી લોકે બહાર ગયા હતા–વેરાન બન્યું હતું, ત્યારે એક બિચારી ઘરડી ડોસીને ત્યાંથી તેનું સર્વસ્વ હરણ કરવા ગયા. તેમાં શ્રાવકે કશા કાર્યમાં સાથ ન આપે. ડોસીએ જાણ્યું કે, “દુર્લલિત ગેષ્ઠીએ (ટોળકીએ) મારું સર્વસ્વ હરણ કરવાનું કાર્ય શરૂ કર્યું છે, તે સમયે ડોસી પગમાં પડવાના બાનાથી “અરે ! મારું ઘર ન લૂટ” એમ કહેતી અને પગનો સ્પર્શ કરતી હતી અને દુર્લલિત ટોળીના પુરુષોના પગમાં મેરના તાળવામાં લાગેલા પિત્તના રસ વડે કરીને નિશાની કરી લીધી. તેમાં ડોસીના ઘરના દ્રવ્યની વહેચણી ચોરી કરતા હતા, તેમાંથી શ્રાવકે ભાગ ગ્રહણ ન કર્યો. તથા તેમની ગોષ્ઠી છોડવાના શ્રાવકના પરિણામ થયા. આમની સબત સુંદર પરિણામવાળી નથી, માટે તેમનાથી છૂટી જવું સારું છે. પ્રાત:કાળે ડોસીએ રાજાને ફરિયાદ કરી, એટલે રાજાએ તે ટોળકીને બોલાવી લાવવા આજ્ઞા આપી. તેમાં શ્રાવકપુત્ર ન આવ્યું. રાજદરબારમાં આવેલા સર્વેને પૂછયું કે-“તમે આટલા જ છો કે, બીજા પણ હજુ કઈ સાથીદાર છે?” એટલે તે દુર્લલિત મંડળીએ શ્રાવકપુત્રનું નામ આપ્યું. તેને બેલા. આ વેલો, છતાં પણ મયૂરના પિત્તની નિશાની વગરનો તે એકલે હતો. “તને નિશાની કેમ નથી ?” તે ભાવને રાજાએ તેને પ્રશ્ન કર્યો. તેના મનમાં ચિન્તા થઈ કે, “નિશાની નથી, તેનું કારણ કહેવું કે ન કહેવું?” આ પ્રકારે મૌન બાંધી રાખ્યું અને શ્રાવકપુત્રે રાજાને જવાબ ન આપ્યો. એટલે રાજાએ પૂછ્યું કે, “આ ગોષ્ઠીનો આશ્રય તે જ્યારથી કર્યો છે?” શ્રાવકપુત્રે કહ્યું કે, “આજથી જ’ રાજાએ પૂછયું કે, “ક્યા કારણથી આશ્રય કર્યો?” શ્રાવકપુત્ર- અજાણપણામાં-બિનસાવધાનીમાં, ત્યાર પછી ચેરી વિષયક પ્રશ્ન કર્યો કે, “તમે ડોસીને ત્યાં રાત્રે ચોરી કેમ કરી?” એવા પ્રકારના પ્રશ્નથી દુલંલિત-સોનેરી ટોળીવાળા સર્વે ભ પામ્યા, શ્રાવક ન ગભરાયો. પરંતુ માત્ર પિતે એકલો અપરાધી ન હોવાથી ભ ન પામ્યા. ત્યાર પછી રાજાએ તેની યથાર્થ મનોવૃત્તિ જાણવા માટે ક્ષેભ અને અક્ષેભ દ્વારા તેના પરિણામ-વિશેષનો નિશ્ચય કર્યો. વિશેષ પૃચ્છા કરી. તેમાં તમારામાં ચાર કેણ છે અને અચોર કોણ છે?” એમ ફરીથી પૂછ્યું, ત્યારે સાચી હકીકત નિવેદન કરી. ત્યાર પછી ચોરે હતા, તેને શિક્ષા કરી અને પિતાના વ્યવહારને ઉચિત એવી શ્રાવકપુત્રની સત્કાર-પૂજા કરી. ચિરોને અપરાધહેતુથી શિક્ષા અને શ્રાવકની ગુણને અંગે પૂજા કરી. (૫૨૧ થી પર૫) હવે ચોથું ઉદાહરણ કહે છે— સુદર્શન-કથા
અનેક પુરાણી દેવકુલિકાઓ અને સરેવરથી યુક્ત જેને તલભાગ છે અને આકાશ સ્થલમાં ઉંચે અનેક દવાઓ ફરકી રહેલી છે, એવી કૌશાંબી નામની નગરી હતી. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org