Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૩૬ ]
ઉપદેશપદ-અનુવાદ
સમાધિમાં સ્થિર રહ્યા. હવે તે પોતાના આત્મા અને દેહને ભિન્ન માનતા હતા. આ લોક કે પરલેક વિષે મમતા વગરના વિચારવા લાગ્યા કે, “આ વ્રતોથી જે કંઈ સ્વર્ગ કે મોક્ષ જે ફલ થવાનું હોય, તે થાઓ. ઉદર–પ્રદેશમાં શિયાળ ભક્ષણ કરતી હતી, તે સમયે મરીને તે નલિની ગુમ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાં અઢળક વિભૂતિ વગેરે પ્રાપ્ત કર્યા. દુષ્કર રીતે સર્વ ત્યાગ કરીને નીકળેલા હોવાથી નલિની - ગુમ વિમાનની અભિલાષારૂપ લેશ્યા હોવાથી, મોક્ષની કાંક્ષાને પક્ષપાત ઘણો હોવા છતાં પણ તે નલિની ગુલમ વિમાનમાં ઉત્પન્ન થયા. કારણ કે, એકાગ્ર ચિત્તવાળા તે વિમાન મેળવવાના પરિણામવાળા હતા, તો તેઓને મર્યા પછી મહર્ષિ કેવી રીતે ગણવા? તે કે ('ઉપદેશમાળા આદિ) બીજાં શાસ્ત્રોમાં તે પ્રમાણે કહેલું હોવાથી મહર્ષિ–પદ ઔપચારિક રીતે ગણવેલું છે. કારણ કે, વિમાનમાં ભેગાભિલાષા હતી. જેમાં કાર્યોસગ કરેલા સુકોશલમુનિ વગેરેને વ્યાધ્રીએ ભક્ષણ કરેલ તેમની સરખામણીમાં મહર્ષિ પદ વાપરેલું છે. બીજાના દુઃખને દેખીને શરીર કંપી જાય તેવા દુઃખને જણાવનાર અવંતિસુકુમાલ મહર્ષિનું ચરિત્ર ખરેખર દુષ્કર છે. અહીં બહિરાત્મ રૂપ શરીરને જણાવનાર આત્મશબ્દ સમજ. કારણ કે, “અંતરાત્માને છોડો અશક્ય છે, એટલે અહીં આત્મા એટલે શરીર પણ કથામાં કહેલા પ્રકારે છેડવું–તે પણ આશ્ચર્ય જ છે.
આ દેવલોકનાં સુખ મેળવવામાં આ શરીર ઘણું જ ઉપકાર કરનાર થયું છેએમ માનનાર તે નવીન દેવતા દેવપણાનાં તરતનાં કાર્યોનો ત્યાગ કરીને તત્કાળ અહિં આવીને ગોદકની વૃષ્ટિ કરી, સુગંધી પુના પગર-ઢગલાદિક કરી, તે કલેવરનું અર્ચન કર્યું. પિતાનું રૂપ પ્રત્યક્ષ કરી આર્ય સુહસ્તીને વંદન કરીને જે આવ્યા હતો, તે ચાલ્યા ગયે.
હવે સૂર્યોદય થયો અને માતાએ પગે લાગવા દરરોજ આવતો, તે પ્રમાણે આજે આવેલો ન જે, તેની તપાસ કરી તે ક્યાંયથી પણ તેને સમાચાર ન મળ્યા. એટલે પર્વત જેમ વાહિત થાય, તેમ બંધુવંગ આકુળ-વ્યાકુલ બની ગયે. એ પછી આર્ય સુહસ્તી આચાર પરિવારવાળી ભદ્રા માતાને કહ્યું કે, “રાત્રિએ અવંતિસુકમાલે આ પ્રકારે દીક્ષા અંગીકાર કરી. વિધિપૂર્વક અનશન વ્રત પણ સ્વીકાર્યું. કચેરીના વનમાં કાયાની મમતા પણ છોડી અને મૃત્યુ પામી નલિની ગુલ્મ વિમાનમાં મુખ્ય દેવપણે ઉત્પન્ન થયે.” આ સાંભળી સર્વ વહુઓ સહિત ભદ્રા તે વનમાં ગઈ. મરણોત્તર ક્રિયા કરી તે સ્થાનથી પાછી આવી, એટલે આચાર્યે તેમને આ પ્રમાણે પ્રતિબંધ આપ્યો-નદીના પૂરમાં પડીને તણાતા જનને ફરી સમાગમ થવો મુશ્કેલ છે, તેમ સંસારમાં જીવોને વિગ થયા પછી સંગ થવો મુશ્કેલ છે. આ જીવલેક સ્વપ્ન સરખે છે. અથવા ઈન્દ્રજાળની કીડા સરખો કે બાલ–ધૂલિઘર-લીલા સરખો ક્ષણમાં
૧ ઘટ્ટી ટીકાના આધારે આ અર્થ લખેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org