Book Title: Paryushan Parv Vyakhyanmala
Author(s): Jainatva Vicharak Mandal
Publisher: Jainatva Vicharak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ ܘܪ આ ઉપરથી તમે જોઇ શકશેા કે જુની, નવી કાઇ પ્રણાલિ હાય પણ જો તેમાં પુષ્કળ વિચારસમૃદ્ધિ નહિ હાય, બુદ્ધિની છેત્રટની કસેાટીએ ચડાવી શકાય એ રીતે ચર્ચા નહિ થાય અને વમાન જીવનની ઉપેક્ષા કરી એક અસંબદ્ધુ જગતની કલ્પનામાંજ વિહાર કરવામાં આવશે તે। હવે નવયુગ તેને સાથ નહિ આપે. છેલ્લા પ્રસ્થાનમાં ડેાકટર સુમતે મિશનરીઓએ નિમેલ કીશનના રીપેન જે સાર આપ્યા છે તે વાંચેા ! રશિયામાં અને તેને લીધે દુનિયાના મેટા ભાગ ઉપર જીવનની પ્રત્યેક શાખામાં થતા ફેરફારા ઉપર વિચાર કરેા ! દેશની દરેક બાબતમાં જે અવદશા છે તેને વધુને વધુ વિચાર કરેા. તમને લાગશે કે હવે વિચારના વિષયે બહુજ વધી ગયા છે. તે બધા લાંખી, સ્પષ્ટ અને સૂક્ષ્મ વિચારણા માગે છે. પંથના અધના નકામા સિદ્ધ થતાં જાય છે, અને નવીન પેઢી માટે કદી કા હાય એવા નવેા યુગ આવ્યા છે. આ યુગને સમજવા, તેને અનુકુળ તૈયારી કરવા અને જે પ્રાચીન તત્ત્વા સ્થાયી જેવાં છે તેને ઉપયાગી બનાવી નવયુગ સાથે બંધ બેસતાં કરવાં એજ તમારી વ્યાખ્યાનમાળાના ઉદાત્ત હેતુ હાવા જોઇએ. તેથી તમે જે જે વિષયની પસંદગી કરે, જે જે વક્તાને આમંત્રણ આપે। અને જે ચર્ચા કરે તે બધુ જવાબદારીપૂર્વક અને યેાગ્ય રીતેજ થવું ઘટે. આ વખતના તમામ કાર્યક્રમમાં આમત્રિત વક્તાઓનાં નામ જોઇ મને સતાષ થાય છે, પણ આવા વિષયમાં હું બ્રાહ્મણ હેવાથી સદા અસંતુષ્ટ પણ રહું છું. તમે થયેલ વ્યાખ્યાના પુસ્તક રૂપે બહાર પાડશેા જ એમ માની લઉં છું. વ્યાખ્યાનમાળા વર્ષે વર્ષે વિકસવી જોઇએ. એ ઘઉંના છેડ જેવી અમુક જ દિવસ વધી, વિકસી, થંભી જાય એવી ન હેાય, ભલે ાતા તદ્દન ઓછા હાય, વ્યાખ્યાના પણ ભલે આછાં હાય, છતાં એ હોય સ્પષ્ટ, માર્મિક અને વિશાળ માહિતીથી ભરેલાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 130