Book Title: Paryushan Parv Vyakhyanmala
Author(s): Jainatva Vicharak Mandal
Publisher: Jainatva Vicharak Mandal

View full book text
Previous | Next

Page 76
________________ દાનને પ્રવાહ વ્યાખ્યાતા–શ્રી, ગટલાલ ગે. ઘુ. આ વ્યાખ્યાનમાળાની યોજનામાં જનતરવર્ગને લાભ લેવા દેવાની જે વ્યવસ્થા રાખવામાં આવી છે તેથી ખાસ લાભ જેનેતર વ્યાખ્યાતાઓને થાય છે એવું મારું માનવું છે. જેનજનતા સમક્ષ તેમનાં પિતાનાં ભન્તવ્ય–જૈનધર્મ, સાહિત્ય અને સમાજ વ્યવસ્થા વિશેનાં, સ્પષ્ટપણે મૂકવાને એ વ્યાખ્યાતાઓને પ્રસંગ મળે છે. આ વર્ષે તે આ વ્યાખ્યાનનું પ્રમુખપદ જેન આચાર્યને આપવાની વ્યવસ્થા કરી જૈનજનતા ઉપર ખાસ ઉપકાર કર્યો છે એમ મારે ચોક્કસ માનવું છે. આ સમાજ કલ્યાણકારી જ્ઞાનસત્રની યેજનામાં યથાશક્તિ ભાગ લેવાની મને તક આપવા માટે આ વ્યાખ્યાનમાળાના વ્યવસ્થાપકેને હું બહુ આભારી છું. આજને વિષય “લનને પ્રવાહ” એ રાખવામાં આવ્યો છે. દાન શબ્દનો ધાત્વતિ “આપવું” એટલો જ થાય છે. છતાં જ્યારે જ્યારે કાંઈ આપવામાં આવે છે ત્યારે તે દાન નથી ગણાતું. સેવાના બદલામાં, માલના બદલામાં કે બીજી કોઈ રીતે કોઈ પ્રકારના બદલામાં આપવાને દાન કહેવામાં આવતું નથી. આ ઉપરથી જણાય છે કે દાનને વિશિષ્ટ અર્થ છે. કોઈપણ બદલાની આશા વિના, કોઈને મદદ ખાતર આપવું તેને દાન કહેવામાં આવે છે. આ દષ્ટિએ જોતાં પણ સગાંસમ્બન્ધીને, ટાણે પ્રસંગે, જે આપવામાં આવે છે તે બદલાની આશા વગર અને ઘણી વખતે મદદ રૂપ હોવા છતાં દાન નથી ગણાતું, એ તે વ્યાવહારિક ફરજ ગણાય છે, એટલે તેને પણ દાન ન કહી શકાય. એટલે જેની સાધનસંપત્તિ ઓછી હેય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130