Book Title: Paryushan Parv Vyakhyanmala
Author(s): Jainatva Vicharak Mandal
Publisher: Jainatva Vicharak Mandal

View full book text
Previous | Next

Page 113
________________ અનાસક્ત માણસ પણ પદાર્થોને ઉપભોગ કરતે જ હોય છે. છતાં તે પ્રત્યે તેની આસક્તિ કે બંધન હેતું નથી. પોતાની જરૂરિયાત ઘટાડી પોતાની શક્તિને પારકાના હિત માટે ખરચવી તે પરોપકાર કહી શકાય. પરંતુ આજે તે ભેગવવા માટે લાખો અને કરેડા પણ ઓછી પડે પરંતુ સગા ભાઈને પણ કંઈ મદદ કરવી હેય તે હાથ ધ્રુજવા મંડે અને ત્યાં આગળ બીજાના વાદ કરવા લાગી જાય. આ બધી આસક્તિની જાગે છે અને ન ખરચવાની નિશાની છે. નહિ તે પિતાનાં શ્રેય પાછળ કોઈ વાદ કરી શકે જ નહિ. જેમકે કોઈ દેવ આવીને કહે કે “ચાલ, દેવલોકમાં કોને આવવું છે?” તે કઈ કઈને વાદ કરે ખરા ! ટપોટપ નામની નેંધ થઈ જાય. ત્યાં તો રાહ પણ ન જેવાય અને વાદ પણ ન કરાય. ઘઉં વાવવા હોય અને બીજાએ બંટી વાવી હોય તો ત્યાં પણુ વાદ ન થાય. પરંતુ પરમાર્થમાં કંઈક કરવું પડે તે ફલાણું ભાઈએ શું કર્યું? કેટલું આપ્યું? કેમ આપ્યું? એવા અનેક વાંધાઓ ઉત્પન્ન થાય કારણ કે જીવનનું ધ્યેય સમજાયું નથી. ત્યાં તો એમ માન્યું છે કે જે કંઈ આપવું પડે તે બધું વેડફી નાંખવાનું છે. પછી તો ખરચાય જ કેમ ? આસકિતનું દુષ્પરિણામ આસક્તિવાળો જીવ ભલેને ત્યાગ કરી નાખે પણ તેય એ બધું નિરર્થક છે. કારણકે તેની પાછળ ખૂબ સ્વાર્થ રહ્યો હોય છે. અને એ સ્વાર્થનાજ કારણે વસ્તુ ત્યાગવા છતાં વાસનાને ત્યાગ થઈ શકતું નથી. જ્યારે અનાસક્ત મનુષ્ય ભલે કશુંય ત્યાગે નહિ, છતાં તેની ભાવના બીજા પ્રત્યે ખૂબ સુંદર હોય છે. એકદા એક અંધ ભિખારી ચૌટામાં બેસી સારંગી સાથે ભજન ગાતા હતા, પરંતુ તે બિચારાને અવાજ એટલો તે ખરે. હતું કે તેના પર રસ્તે ચાલનારનું બિલકુલ લક્ષ્ય જતું ન હતું. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130