Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૬
એળખ્યા નથી એનુંજ પરીણામ છે. જે દિવસે જૈન માતપિતા શ્રી જિનેશ્વરદેવા કથિત માગને સમજશે ને સમજીને હૃદયમાં ઉતારશે તે દિવસે આજના જેવું વિષમ ને ડોળાયેલું વાતાવરણ નહિ હાય. દરેક માતપિતાએ વેલગશાહ ને વિમળાદેવીની ભાવનામાંથી પ્રેરણા લેવી જોઇએ.
કુમાર્ પાસચંદની દીક્ષાને સમય નક્કી થયે તે પૂર્વ અઠ્ઠાઈ મહેાસવાદિ ધાર્મિક ક્રિયાની ધામધુમ વેલગશાહને આંગણે શરૂ થઇ. ગિરાને દાન, સામિ`ક બંધુઓની ભક્તિ, ગુરૂપૂજન, મંગળ ગીતા ઉપરાંત સારાયે હમીરપુરમાં માંગલિક પ્રસ`ગને અનુરૂપ શેાભા ને નગર રચના થઈ. ઘેર ઘેર આનંદની છેાળા ઉછળવા લાગી. જ્યાં જૈન શાસનની પ્રભાવના થતી હોય ત્યાં આવી જાતનું વાતાવરણ હોય એમાં આશ્ચય પામવા જેવું કાંઇ નથી.
આખરે ત્યાગ માગના પંથી કુમાર પાસચંદુની દીક્ષાના દિવસ તે સંવત ૧૫૪૯ ના વૈશાખ સુદ ૩ ના શુભ દિન આવી પહેાંચ્યું. અને વાજતે ગાજતે મુલ્યવાન પાલખીમાં એસી પાસચંદ કુમાર સ`સારની માયાનેા અંચળા ફગાવી ત્યાગ માના મુસાફર બન્યા અને શ્રી ચતુર્વિધ સંઘ શહેર બહાર આવેલ બગીચામાં રહેલા અÀાકવૃક્ષની શીતળ છાંયા નીચે આવી પહોંચ્યો.
ગુરૂદેવ શ્રી સારત્નસુરીજીએ વિશાળ સમુદાયની હાજરીમાં જૈન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દીક્ષા આપી કુમાર પાસચંદનું મુળનામ કાયમ કરી મુનિ પાર્શ્વચંદ્રજી રાખ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com