Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
અનહદ નિપૂણતા, જનસમાજના હૃદયમાં પ્રાપ્ત કરેલું સ્થાન અને વિશ્વભરમાં અગાધ જ્ઞાનના ગે મેળવેલ ખ્યાતિના પરિણામે અને લેકલાગણી–ગુરૂની પ્રસન્નતા અને શિષ્યની યેગ્યતાએ ઉપાધ્યાયપદ અર્પણ કરવાના લહાવાને કળશ નાગોરના શ્રીસંઘ પર ઢોળાય. આથી સકળ સંઘમાં આનંદ પ્રવર્તી રહ્યો. આજની આપણી સ્થિતિ જોઈએ છીએ ત્યારે ગ્યાતા તપાસ્યા વિના પદવીઓ ધારણ કરનારના મેહના કારણે અપાય છે. તે માટે આપણને બહુજ ખેદ થાય છે. યોગ્યનું સન્માન થવું જોઈએ. પણ એ યેગ્યતા માપવાનું કામ તે સંઘનું છે.
પૂ. શ્રી પાશ્વચંદ્રજીને ઉપાધ્યાયપદ આપવાનું હોઈ શેઠ જવાણી ગોત્રના સહસમલજી વિગેરે ભાવિક ભક્તોએ અઠ્ઠાઈ મહોત્સવ શરૂ કર્યો. દેશદેશાવરના શ્રીસંઘેને આ શુભ અવસર પર નાગોર પધારવાની વિનંતિ કરતી નિમંત્રણપત્રિકાઓ હલકારાઓ દ્વારા મોકલામાં આવી. સારાયે શહેરમાં અમારીશેષ વગડા, જિનમંદિરોમાં રોજ પૂજાએ ભણાવા લાગી, સ્વામીવાત્સલ્યાદિ કાર્યો અનેરા હર્ષ વચ્ચે શરૂ થયા. આમંત્રણ પત્રિકાએ પહેચતાં સ્થળે સ્થળેથી શ્રી સંઘના અગ્રેસરે આવી પહોંચ્યા. દેવગુરૂની ભક્તિને રંગ ખૂબ ખીલી ઉઠે. ચોમેર આનંદનું જ વાતાવરણ જામેલું હતું. શુભ મુહૂર્ત, ક્રિયા-વિધિપૂર્વક પૂ. શ્રી પાર્શ્વચદ્રજીને સંવત ૧૫૫૪માં ઉપાધ્યાય પદથી વિભૂષિત કરવામાં આવ્યા અને એ વખતે પધારેલા હજારે ભાઈ બહેને તેમજ નાગોરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ત. શુભ મુહુર્ત
પદથી વિભૂષિત
વગેર