Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૬૦
આ સભા સાથે તેઓશ્રીનું નામ જોડાયેલું રહે એ માટે તેઓશ્રીના અવસાન બાદ તેમની ઈચ્છાનુસાર તેમના વિધવા ધર્મપત્ની હરકુંવરબાઈએ નાદર રકમ આપી મહૂમની ઈચ્છા અને આશાને પરિપૂર્ણ કરી. સં. ૧૯૬૨ થી સંસ્થાનું નામ “શ્રી જૈન હઠીસીંગ સરસ્વતી સભા” રાખવામાં આવ્યું.
શરૂઆતમાં આ સભામાં દાખલ થનાર માટે સમવ્યસનોના ત્યાગને ફરજીયાત બનાવવામાં આવ્યા છે. કારણ કે આમાઓ વ્યસની હોય એમનામાં ધીરે ધીરે એક પછી બીજે ને બીજા પછી ત્રીજે એમ અનેક જાતના દે દાખલ થાય છે. આજે ધાર્મિક કેળવણી પામેલા ઘણાયે એવા છે કે જેમના જીવનમાં વ્યસને ઘર ઘાલવાને પરિણામે તેઓ કેઈ આદર્શ રજુ કરી શકતા નથી બલકે તેમની છાપ પડતી નથી.
આ સભાના દ્વિતીય વર્ષના રીપોર્ટ પરથી જણાય છે કે પ્રથમ નવકાર મંત્રથી ઉપરોક્ત સભામાં વિદ્યાર્થીઓને અભ્યાસ શરૂ કરાવવામાં આવે છે અને જ્યારે આપણે એ રિપોર્ટમાં જોઈએ છીએ કે સં. ૧૫૧ ના બીજા વર્ષમાં પ્રતિકમણ, જીવવિચાર, નવતત્ત્વ, દંડક, લધુસંઘયણી, નવસ્મરણ વિ. ને અભ્યાસ ચાલે છે ત્યારે સહેજે લાગે છે કે આ સભાના વિદ્યાર્થીઓ કેટલી લાગણી પૂર્વક અભ્યાસ કરતા હેવા જોઈએ કે એક જ વર્ષમાં તેઓ ધાર્મિક શિક્ષણની આટલી ઉચ્ચ કક્ષાએ જઈ રહ્યા છે. ત્યારબાદ માગધી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com