________________
સંવેદનાત્મક વર્ણન અભુત કોટીનું કર્યુ છે.
આરાધના માટે મુખ્ય ૪ દ્વારનું વર્ણન અને તેમાં અનેક પેટા દ્વારના ઉલ્લેખ દ્વારા આરાધના માટેનું સ્પષ્ટ સુગમ-પદ્ધતિસરનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
૪ દ્વાર પૈકી ૪થા સમાધિલાભ દ્વારના પેટા દ્વારમાં સૌ પ્રથમ ૧૮ પાપસ્થાનકોનું સદષ્ટાંત વિશદવર્ણન કરવામાં આવ્યું છે, જેના વાંચનમનન દ્વારા પાપભય-પાપ જુગુપ્સા-પાપત્યાગની ભાવનાનું સહજ પ્રગટીકરણ થઇ શકે તેમ હોવાથી ગ્રંથ અંતર્ગત આ ૧૮ પાપસ્થાનકનો નાનકડો વિભાગ અલગ તારવી લેવા પૂ. ગચ્છાધિપતિશ્રીએ પ્રેરણા
કરી.
ઉદારમના-આત્મહિતેચ્છુ એ મહાપુરૂષની પ્રેરણા પામીને આ વિભાગ જુદો તારવીને અત્રે ભાષાંતર સહિત પુસ્તક રૂપે પ્રકાશિત થઇ રહ્યો છે. તદુપરાંત આ પુસ્તકમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત ૧૮ પાપસ્થાનકની સજઝાયોનો પણ સમાવેશ કરેલ છે. આના વાંચન બાદ સંવેગ રંગશાળા ગ્રંથનું સંપૂર્ણ વાંચન કરવાની અદમ્ય ભાવના પ્રગટ થશે તેવી શ્રદ્ધા સાથે....
આ ગ્રંથ આગમો-યોગશાસ્ત્રો અને અધ્યાત્મશાસ્ત્રોના દોહનરૂપ છે, અર્થાત્ આગમ-યોગ-અધ્યાત્મ આ ત્રણેય પ્રક્રિયાનો સુમેળ સધાયો છે. શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા, સમરાઇચ કહાની જેમ આ ગ્રંથ પણ ચતુર્વિધ સંઘની આરાધનામાં ઉપકારક બની શકે તેવો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org