________________
આ માસકલ્પ અને ચાતુમસ કલ્પને ભંગ અનિવાર્ય હેઇ, તેથી વધુ સમય એક સ્થાને રહી શકાય, પરંતુ એ કારણ દૂર થતાંની સાથે જ મુનિએ પુનઃ પિતાની આચારમર્યાદાનું પાલન કરતા થઈ જવું જોઈએ. (૧૫૭)
[ મુનિએ સ્થળે સ્થળે શામાટે અને કેવી રીતે વિહાર કરવો તે નીચેના બે શ્લોકમાં દર્શાવવામાં આવ્યું છે.]
___ अप्रतिबद्ध विहारः । १५८ ॥ रुद्धं शैवलिनीजलं मलयुतं स्रोतो गतं निर्मलं । तद्वत्साधुजना विशुद्धचरिताः स्युश्चेद्विहारोद्यताः ॥ द्रव्यादिप्रतिबन्धतोऽप्रतिहतैर्यावच्च जडाबलं । गन्तव्यं क्षितिमण्डले मुनिवरैर्देशानुदेशं क्रमात् ॥
साधूनां पाद विहारः । १५९॥ नाऽश्वोष्ट्रायधिरोहणं न च कदा गन्यादियानासनं। नो नौकाशिबिकादिरोहणमथो निष्कारणं युज्यते॥ वस्त्रायं निखिलं निजोपकरणं स्कन्धादिनोवा स्वयं । पादेनैव वरं विहारकरणं संन्यासिनां श्रेयसे ॥
અપ્રતિબંધ વિહાર, ભાવાર્થ-નદીનું પાણી એક ઠેકાણે રૂંધાઈ રહે છે તો તે મેલકે શેવાળથી ગંદુ થાય છે, પણ પ્રવાહમાં ચાલતું હોય તો તે નિર્મળ રહે છે; તેવી રીતે સાધુ જન એક ઠેકાણે રોકાઈ ન રહેતાં વિહારમાં ઉઘત રહે છે તે તેમનું ચારિત્ર્ય નિર્મળ રહે છે. માટે જ્યાં સુધી રોગ કે જરા અવસ્થાથી જંઘાબળ ક્ષીણ ન થયું હોય ત્યાં સુધી કોઈ પણ વ્યાદિ પ્રતિબંધથી ન બંધાતાં મુનિઓએ એક દેશમાંથી બીજા દેશમાં ક્રમસર પૃથ્વીની પીઠ ઉપર ગ્ય સ્થળે વિચરવું જોઈએ. (૧૫૮)