________________
૪૯૩
વસ્તુના પરિણામ પલટવાના એટલે કે જગતની ચલિતતાના સ્વભાવનું ચિંતન કરવું એ ભાવના : એથી જગતની નશ્વરતા–અનિત્યતાનું આત્માને ભાન થતાં વીતરાગ દશાની કેળવણી તેને મળે છે. આ આલબને અને ભાવના વસ્તુતઃ ધ્યાનના ઉચ્ચતમ શિખરે ચડવાનાં પગથીયાં છે. તે પગથીએ પગ મૂકતા થકે ધ્યાતા આત્માને નિર્મળ કરતા ઉંચે ચડતા જાય છે. (૨૧૮)
[શુલ ધ્યાન એ આત્માના નિર્માળીકરણ માટેનું ઊંચામાં ઉંચુ શિખર છે ખરૂ, પરન્તુ તે પર ચડવાનું આ યુગમાં અતિ દુષ્કર છે, તે દર્શાવતાં ગ્રંથકાર મુમુક્ષુને એ ધ્યાનના ઉચ્ચ મનેાભાવ રાખવાનું સૂચન કરે છે. ]
શુધ્યાનદુત્વમ્ ॥ ૨૬૬॥ शुक्लध्यानमपेक्षतेऽपरिमितं वीर्यं च चित्तात्मनोराद्यं संहननं स्थिरं दृढतरं वैराग्यभावं पुनः ॥ नैतेषां यदि सम्भवोऽत्र समये भाव्या तदा भावना । भाव्याशा नियता न साधनबलं यावत्समापद्यते ॥ શુકલ ધ્યાનની દુષ્કરતા.
ભાવા—શુક્લ ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે અંતઃકરણની પૂરેપૂરી દઢતા અને આત્માનું અપરિમિત વી–સામર્થ્ય જોઈએ, છ સંધયણમાંનું પ્રથમ વઋષભનારાચ સંધયણ જોઈએ અને અત્યંત દૃઢ વૈરાગ્ય ભાવ જોઇએ. આ સમયમાં-પાંચમા આરામાં જે તેને સંભવ ન હાય તે। ભાવીની આશા રાખીને ઉપર જણાવેલી શુક્લ ધ્યાનની ભાવના ભાવવી, જ્યાંસુધી અપરિમિત વીર્ય આદિ સાધનસામગ્રી પૂરતી રીતે પ્રાપ્ત ન થાય ત્યાંસુધી. (૨૧૯)
વિવેચન—પૂર્વ શ્લોક ૨૧૧માં શુક્લ ધ્યાન' વિષેના વિવેચનમાં જણાવવામાં આવ્યું છે કે અલ્પ સત્વવાળા વેાને શુક્લ ધ્યાનના અધિકાર નથી. એ અધિકાર નહિ હાવાનું કારણ એ છે કે તે ધ્યાન અત્યંત દુષ્કર.