________________
-
_જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ દોય નીલા, દોય શામળ કહ્યાં,
સોળે જિન કંચન વર્ણ લહ્યાં. સાધુ સાધનાની પ્રાથમિક ભૂમિકામાં હોવાથી એમનો રંગ કાળો સૂચવ્યો છે. વળી ધ્યાનની પ્રક્રિયામાં પણ સાધકને શરૂઆતમાં પ્રથમ કાળું ધબ દેખાય છે. ત્યારબાદ સાધનામાં વિકાસ થાય છે. તેના નિર્દેશરૂપ ઉપાધ્યાયનો રંગ લીલો કહ્યો છે, જે શુદ્ધીકરણ સૂચવે છે. અને એ જ પ્રમાણે ધ્યાનમાં પણ કાળા રંગ બાદ જાંબલી, નીલો, લીલો રંગ દેખાય છે. તેથી આગળ સાધનામાં વિકાસની ઉપલી ભૂમિકામાં કર્મમલને ભસ્મીભૂત કરવાના સામર્થ્યરૂપ, જે તેજ પ્રગટ થયું છે એના સંકેતરૂપે, આચાર્યનો રંગ પીળો બતાવ્યો છે. જે પ્રમાણે ધ્યાનમાં પણ બને છે એ જ પીળો રંગ પછી લાલચોળ રક્ત વર્ણ થઈ અંતે શ્વેત રંગમાં પરિણમે છે.
કોલસો પણ પહેલાં કાળો હોય છે જેને અગ્નિથી સળગાવતાં એમાં પ્રથમ લીલી-પીળી ઝાંય ઊઠે છે ને અંતે શ્વેત રાખ બને છે.
તેવી જ રીતે ગાઢ તિમિરમાંથી હો ફાટે છે જે ઉષા ટાણે રક્ત, પીત્ત રંગ ધારણ કરે છે અને પૂર્ણ સૂર્યોદય થયા બાદ શ્વેતવર્ણ પ્રકાશરૂપે પરિણમે છે. .
અનેક મંત્રો ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. જેવી જેની વાંછના. એ મંત્રોના બે મુખ્ય ભેદ છે. કેટલાક ક્રૂર મંત્રના આરાધ્ય દેવ છે જે અધિષ્ઠાયક દેવતા કહેવાય છે તે પણ ક્રૂર હોય છે, જ્યારે સૌમ્યમંત્રના અધિષ્ઠાતા દેવ સૌમ્ય હોય છે. ક્રૂર મંત્રની સાથે દાન કે તપનો કોઈ સંબંધ હોતો નથી. જ્યારે સૌમ્ય મંત્રના જાપ સાથે જો દાન અને તપ ભળે છે તો તે મંત્રને બળ મળે છે જેથી તે શીઘ્ર ફળે છે. જોકે ફળ પણ શ્રેષ્ઠ હોય છે. નમસ્કાર મહામંત્ર એ સૌમ્ય પ્રકારનો મંત્ર છે જેનો જાપ શીધ્ર અને શ્રેષ્ઠ ફળપ્રાપ્તિ અંગે દાન અને તપ સહિત કરવા યોગ્ય છે, કારણ કે બીજા મંત્રોના અધિષ્ઠાયક દેવોની અવસ્થા તપ, ત્યાગ અને દાન સ્વરૂપ નથી હોતી. જ્યારે પંચપરમેષ્ઠીનાં પાંચ પદો સ્વયં તપ, ત્યાગ, દાનાદિ અનેક ગુણની પરાકાષ્ઠારૂપ છે. માટે જ આનાથી ચઢિયાતો મહાન મંત્ર કયો હોઈ શકે ?
વળી અન્ય મંત્રોની આરાધનામાં ધ્યેય, ધ્યાન, ધ્યાતા ત્રણે ભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org