________________
–
–
–
–
–
–
–
સ્વરૂપ મંત્ર
આત્મસ્થિરતા, આત્મલીનતા, સ્વરૂપ રમણતા, સહજાનંદાવસ્થા એ મારા આત્માનો પરમવિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે સહજાનંદિતાની પ્રાપ્તિ માટે, હું ચારિત્રપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, આ સિદ્ધિચક્ર યંત્ર દ્વારા કરતો થકો; તેના ફળ સ્વરૂપ આત્મસ્થિતતા, આત્મલીનતા, સ્વરૂપ રમમાણતા, સહજાનંદાવસ્થાની પ્રાપ્તિને ઇચ્છું છું તે મને પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી સ્વરૂ પાવસ્થા, સહજાનંદાવસ્થાની પ્રાપ્તિ ન થાઓ ત્યાં સુધી સુખ અને દુઃખથી અલિપ્ત રહી, શાતા અને અશાતાની પર થઈ, સ્વમાં સ્થિર થઈ,
સ્વરૂપમાં લીન બની નિજાનંદની મસ્તી માણતો માણતો સહજાનંદી થાઉં ! | ૐ નો ચારિત્રસ છે.
નિરિહિતા, આત્મતૃપ્તતા, અણાહારિતા, વીતરાગતા, પૂર્ણકામ એ મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ છે, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે નિરિહિતા, તૃપ્તતા, વીતરાગતા, પૂર્ણકામ અવસ્થાની પ્રાપ્તિ માટે, તપપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધિચક્રમંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ અણાતારિપદ, વીતરાગતા, પૂર્ણકામને હું ઇચ્છું છું ! મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી વીતરાગતા, અણાહારિતા, પૂર્ણકામની પ્રાપ્તિ ન થાઓ ત્યાં સુધી સર્વ સંયોગો, પ્રસંગો અને પરિસ્થિતિમાં હું સદા સર્વદા સંતુષ્ટ રહું. સમભાવમાં વર્તુ. || $ પામો તવસ ||
નમસ્કાર મહામંત્રમાંનાં પંચ પરમેષ્ઠી પદો, તેઓના તથા પ્રકારના ગુણોને અંગે, સ્વરૂપપદ, ધ્યાનપદ, સમાધિપદ, સમતાપદ, શાંત-પ્રશાંતપદ, યોગપદ, પવિત્રપદ, આનંદપદ આદિ છે. માટે પંચપરમેષ્ઠી પદને તથા પ્રકારના ભાવથી, ભાવવાથી, તે પ્રકારના ભાવને પામી શકાય છે માટે...
હે જીવ ! જો તું તારા વિરૂપથી, વિભાવોથી પીડાય છે તો તું પંચપરમેષ્ઠીને, સ્વરૂપપદે ભાવશે તો તું સ્વરૂપને, સ્વભાવદશાને પામીશ.
હે જીવ ! તું અશાંત છો ? તો પંચપરમેષ્ઠીપદને, શાંત-પ્રશાંત પદે ભાવીશ તતો શાંત-ઉપશાં-પ્રશાંત ભાવે પામીશ.
હે જીવ! તું મમતાથી મૂંઝાણો છો ? તો આ પંચપરમેષ્ઠી પદોને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org