________________
૮૨
_જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ (૨) એક સમયમાં તે પ્રમાણે તેત્રીસથી અડતાલીસની સંખ્યા સુધી જીવો જો એકસાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર-સતત સાત સમય સુધી પામી શકે. ત્યૉરપછી અવશ્ય અંતર પડે.
(૩) એક સમયમાં તે પ્રમાણે ઓગણપચાસથી સાઠની સંખ્યા સુધી જીવો જો એકસાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર-સતત છ સમય સુધી પામી શકે. ત્યારપછી અવશ્ય અંતર પડે.
(૪) એક સમયમાં તે પ્રમાણે એકસઠથી બોતેરની સંખ્યા સુધી જીવો એકસાથે જો સિદ્ધગતિ પામે તો તે નિરંતર પાંચ સમય સુધી પામી શકે. ત્યારપછી અવશ્ય અંતર પડે. * (૫) એક સમયમાં તે પ્રમાણે તોંતેરથી ચોર્યાસીની સંખ્યા સુધી જીવો એકસાથે જો સિદ્ધગતિ પામે તો તે નિરંતર ચાર સમય સુધી પામી શકે. ત્યારપછી અવશ્ય અંતર પડે.
(૭) એક સમયમાં તે પ્રમાણે સત્તાણુથી એકસો-બે (૧૦૨)ની સંખ્યા સુધી જીવો એકસાથે જો સિદ્ધગતિ પામે તો તેવી રીતે નિરંતર બે સમય સુધી પામી શકે. ત્યારપછી અવશ્ય અંતર પડે.
(૮) એક સમયમાં તે પ્રમાણે એક સો ત્રણથી એક સો આઠની સંખ્યા સુધી જીવો એકસાથે જો સિદ્ધગતિ પામે તો તેવી રીતે ફક્ત એક સમયે જ સિદ્ધગતિ પામી શકે. ત્યારપછી એટલે કે બીજે સમયે અવશ્ય અંતર પડે.
આમ, કોઈ પણ એક સમયે જઘન્ય એક જીવ અને ઉત્કૃષ્ટ ૧૦૮ જીવ મોક્ષગતિ પામી શકે.
અનંત કાળથી જીવો મોક્ષે જાય છે, તો પણ તેઓ સંસારી જીવોના અનંતમા ભાગના હોય છે. જ્યારે પણ આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેનો આ જ જવાબ હશે. અનંત કાળ પછી પણ આ જ જવાબ રહેશે.
નવ તત્ત્વ પ્રકરણમાં કહ્યું છે : जइआइ होइ पुच्छा जिंणाण मग्गम्मि उत्तरं तइया । इक्कस्स निगोयस्स अणंतभागो अ सिद्धिगओ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org